Chidvilas (Gujarati). Nishchay.

< Previous Page   Next Page >


Page 48 of 113
PDF/HTML Page 62 of 127

 

background image
૪૮ ]
ચિદ્દવિલાસ
નિશ્ચય
जेसिं गुणाणं पचयं, णियसहावं च अभेयभावं च
दव्वपरिणमणाधिणं तण्णिच्छयं भणियं ववहारेण ।।
येषां गुणानां प्रचयं, निजस्वभावं च अभेदभावं च
द्रव्यपरिणमनाधीनं, तं निश्चयं भणितं व्यवहारेण ।।
येषां गुणानां प्रचयं एकसमूहं तं निश्चयं पुनः येषां द्रव्य-गुण-पर्यायाणां
निजस्वभावं निजजातिस्वरूपं तं निश्चयं पुनः येषां द्रव्य-गुणानां गुणशक्ति
पर्यायाणां यं अभेदभावं एकप्रकाशं तं निश्चयं पुनर्येषां द्रव्याणां यं
द्रव्यपरिणमनाधीनं तस्य द्रव्यस्य परिणाम आश्रयं भावं तं निश्चयं, एतादृशं
निश्चयं व्यवहारेण वचनद्वारेण भणितं वर्णितं
(૧) જે નિજ અનંત ગુણો (છે) તેનો જે પરસ્પર એક જ સમૂહ
પુંજ તે નિશ્ચયનું રૂપ જાણવું. (૨) એક નિજ દ્રવ્યના અનંત ગુણ-
પર્યાયોનું જે કેવળ નિજ જાતિ સ્વરૂપ તે પણ નિશ્ચયનું રૂપ જાણવું. (૩)
એક નિજ દ્રવ્યના અનંત ગુણોને એક કહેવા (તેમ જ) ગુણના અનંત
પર્યાયોને જે એક જ સ્વરૂપથી ભાવવા; (૪) તે જ દ્રવ્યને (આધીન)
પરિણામ પરિણમે, અન્ય પરિણામ ન પરિણમે
એ નિશ્ચય જાણવો; એવા
એવા ભાવોને વચનદ્વારથી નિશ્ચય સંજ્ઞા કહી.
ભાવાર્થઃ(૧) હે સંત! આ નિજ નિજ અનંત ગુણો મળીને
જે એક પિંડ (રૂપ) ભાવ-એક (રૂપ) સંબંધ જ (છે), તેને ગુણનો પુંજ
કહીએ; તે ગુણ-પુંજને વસ્તુ એવું નામ કહીએ. આ વસ્તુત્વ એવું નામ
ગુણના પુંજ સિવાય બીજા કોને કહીએ? એ ગુણ
પુંજને વસ્તુ કહીએ;
માટે આ વસ્તુને નિશ્ચયસંજ્ઞા જાણવી.
આત્માવલોકન ગાથા ૧૧ તથા ટીકા