Chidvilas (Gujarati).

< Previous Page   Next Page >


Page 47 of 113
PDF/HTML Page 61 of 127

 

background image
વ્યવહાર
[ ૪૭
વિગેરે એકેક ગુણમાં કોઈ જઘન્યઉત્કૃષ્ટપણાથી પરિણતિભેદ કરવા,
એક વસ્તુના નિશ્ચયવ્યવહાર પરિણતિથી ભેદ કરવા
(એ પ્રમાણે) તે
સર્વે ભેદભાવ, વ્યવહારપરિણતિ (એવા) ભેદ કરવા. એવી એવી રીતે
એકેકના ભેદ કરવા તે સર્વે ભેદભાવ વ્યવહાર નામ પામે.
(૩)
ગુણ બંધાયા, ગુણ છૂટ્યા, દ્રવ્ય બંધાયું, દ્રવ્ય છૂટ્યુંએવા સર્વે
ભાવોને પણ વ્યવહાર કહીએ.
(૪)
વળી ચિરકાળના (વિ)ભાવના વશથી, સ્વભાવ છોડીને દ્રવ્ય-ગુણ-
પર્યાયને અન્યભાવ કહીએ. (જેમ કે) જ્ઞાનીને અજ્ઞાની, સમ્યક્ત્વીને
મિથ્યાત્વી, સ્વસમયીને પરસમયી, સુખીને દુઃખી; અનંત જ્ઞાન-દર્શન-
ચારિત્ર સુખ-વીર્યને અલ્પરૂપ કહીએ; જ્ઞાનને અજ્ઞાન, સમ્યક્ત્વને
મિથ્યાત્વ, સ્થિરને ચપળ, સુખને દુઃખ, ઉપાદેયને હેય, અમૂર્તિકને
મૂર્તિક, પરમ શુદ્ધને અશુદ્ધ, એકપ્રદેશી પુદ્ગલને બહુપ્રદેશી, પુદ્ગલને
કર્મત્વ, એક ચેતનરૂપ જીવને માર્ગણા-ગુણસ્થાનાદિ જેટલી પરિણતિ, વડે
નિરૂપવો (તે વ્યવહાર છે); વળી, એક જીવને પુણ્ય-પાપ, આસ્રવ-સંવર
(
નિર્જરા)
બંધ અને મોક્ષપરિણતિ વડે નિરૂપવો (તે), અને જેટલું
વચનપિંડવડે કથન છે તે સર્વ વ્યવહાર નામ પામે.
વળી એક સામાન્યથીસમુચ્ચયથી વ્યવહારનો આટલો અર્થ
જાણવો;આટલો દ્રવ્ય વ્યવહાર જાણવો કે, જે ભાવ વસ્તુ સાથે
અવ્યાપકરૂપ સંબંધવાળો હોયવસ્તુ સાથે વ્યાપ્યવ્યાપક (રૂપ) એકમેક
સંબંધવાળો ન હોય તે વ્યવહાર નામ પામેઆવું વ્યવહાર ભાવનું કથન
દ્વાદશાંગ વિષે ચાલ્યું છે તે જાણવું.
આ પ્રમાણે વ્યવહારનું સ્વરૂપ કહ્યું.