૪૬ ]
ચિદ્દવિલાસ
એક ગુણના અનંત શક્તિ વડે ભેદ કરવા].
એક દ્રવ્યના, એક પર્યાયના અનંત પરિણામ વડે ભેદ કરવા,
એક દ્રવ્ય – એક વસ્તુ ના અસ્તિ-વિધિ વડે અને અવિધિ-નાસ્તિ
વડે (ભેદ) કરવા;
એક વસ્તુના દ્રવ્ય, સત્ત્વ, (૧પદાર્થ, ગુણી,) પર્યાયી; અન્વયી,
અર્થ, નિત્ય – એવા નામ ભેદ કરવા;
એક જીવના આત્મા, પરમાત્મા જ્ઞાની, સમ્યક્ત્વી, ચારિત્રી, સુખી,
વીર્યવાન, દર્શની, ચિદાનંદ, ચૈતન્ય, સિદ્ધ, ચિત્, દર્શન-જ્ઞાન-
ચારિત્ર, કેવળી, સર્વજ્ઞ, સર્વદર્શી, સુખી, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની વડે
(નામ) ભેદ કરવા; જ્ઞાન, બોધ, જ્ઞપ્તિ – એવા (જ્ઞાનના) નામભેદ
કરવા;
સમ્યક્ત્વ, આસ્તિકાય, શ્રદ્ધાન, નિયત્, પ્રતીતિ, યત્ તત્ (જે છે
તે), એતત્ (આ) ( – એવા સમ્યક્ત્વના નામભેદ કરવા);
ચારિત્ર, આચરણ, (સ્થિર), વિશ્રામ, સમાધિ, સંયમ, સમય,
એકાંતમગ્ન, સ્થગિત, અનુભવન, પ્રવર્તન – (એવા ચારિત્રના –
નામભેદ કરવા);
સુખ, આનંદ, રસ – સ્વાદ, ભોગતૃપ્તિ, સંતોષ ( – એવા સુખના
નામભેદ કરવા); વીર્ય, બળ – શક્તિ, બળ, ઉપાદાન, તેજ, ઓજ
(પ્રતાપ) – (એવા વીર્યના નામભેદ કરવા).
એક અશુદ્ધના વિકાર, વિભાવ, અશુદ્ધ, મળ, પરભાવ, સંસાર,
આસ્રવ, રંજભાવ, ક્ષણભંગ, ભ્રમ – (એવા નામ ભેદ કરવા);
– એ પ્રમાણે બીજા એક એકના નામ માત્રથી ભેદ કરવા.
એક જ્ઞાનના મતિ – શ્રુત – અવધિ – મનઃપર્યય અને કેવળ – પર્યાયવડે
ભેદ કરવા — એ રીતે અન્ય (ગુણોમાં સમજવું); જ્ઞાન-દર્શન-ચારિત્ર
૧. આત્માવલોકન. પૃ. ૨૩.