Chidvilas (Gujarati).

< Previous Page   Next Page >


Page 50 of 113
PDF/HTML Page 64 of 127

 

background image
૫૦ ]
ચિદ્દવિલાસ
જ જોવામાં આવે છે, અચેતન દ્રવ્યના પરિણામ વિષે તે કદી જોવામાં
આવતો નથી.
એ વાત નિઃસંદેહ છે. એ પ્રમાણે જે વિકારભાવ (છે,
તે) પોતપોતાના દ્રવ્યના પરિણામ વિષે જ થાય છે, અને તે તે દ્રવ્યના
પરિણામ આશ્રિત (જ તે વિકાર) હોય છે,
તે પણ નિશ્ચય સંજ્ઞા નામ
પામે ઇતિ નિશ્ચયઃ
વળી, ‘च’ કારથી બીજા પણ નિશ્ચયભાવ જાણવા. (તે પ્રકારોનું
વર્ણન કરે છે)ઃ
(૫) નિજ વસ્તુની જેટલી પરિમિતિ (ક્ષેત્ર) છે તેટલી પરિમિતિ
વિષે જ દ્રવ્ય-ગુણ-પર્યાયનાં જ વ્યાપ્ય-વ્યાપક, થઈને વર્તે છે, પોતપોતાની
સત્તા વિષે જ વ્યાપ્ય વ્યાપક થઈને અનાદિ અનંત રહે છે.
એને પણ
નિશ્ચય કહીએ.
(૬) વળી, જે ભાવ જે ભાવનો પ્રતિપક્ષી-વૈરી હોય તે તેની સાથે
જ વૈર કરે, બીજા સાથે ન કરેએને પણ નિશ્ચય કહીએ.
(૭) જે કાળ વિષે જે કાંઈ જેમ થવાનું છે તેમ જ થાયએને
પણ નિશ્ચય કહીએ છીએ.
(૮) વળી, જે જે ભાવની જેવી જેવી રીત વMે પ્રવર્તના છે
(તે તે ભાવ) તેવી તેવી રીત પામીને પરિણમેએને પણ નિશ્ચય
કહે છે.
(૯) એક પોતાના સ્વદ્રવ્યનું પણ નિશ્ચય નામ છે.
(૧૦) વળી, એક પ્રકાર આ છે કે એક ગુણના રૂપને મુખ્ય
લઈએ ત્યારે બીજા સર્વે અનંત નિજ ગુણોનું જે રૂપ છે તે, તે (એક)
ગુણરૂપના ભાવ થાય છે.
ભાવાર્થ :કહેવામાં તો એક જુદું રૂપ લઈને કહીએ છીએ;
૧. જુઓ સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા ગા. ૩૨૧-૨-૩. સમયસાર ગા. ૩૦૮ થી
૩૧૧ની ટીકા, પ્રવચનસાર. ગાથા ૯૯ ની ટીકા.