પર્યાયાર્થિક નયના પ્રકારો[ ૫૩
(૪) સત્તાસાપેક્ષ સ્વભાવ અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિક; જેમ કે
પર્યાય એક સમયમાં ત્રયાત્મક છે.
(૫) કર્મોપાધિ નિરપેક્ષ સ્વભાવ અનિત્ય શુદ્ધ પર્યાયાર્થિક, જેમ
કે સંસારી જીવોના પર્યાયો સિદ્ધપર્યાયસદ્રશ શુદ્ધ છે.
(૬) કર્મોપાધિ સાપેક્ષ વિભાવ અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિક; જેમ
કે સંસારી જીવોને જન્મ-મરણ છે.
— પર્યાયાર્થિક નયના આ છ ભેદ છે.
પૃ. ૪૩ થી શરૂ કરીને અહીં સુધી નૈગમ, સંગ્રહ, વ્યવહાર,
ૠજૂસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એ સાત નયોનું વર્ણન કર્યું ].
આ નયોમાં પહેલા પહેલાનો નય પછીના નયની અપેક્ષાએ વિરૂદ્ધ
મહાવિષયવાળો છે, અને પછી પછીના નય પહેલા નયની અપેક્ષાએ
સૂક્ષ્મ-અલ્પ અનુકૂળ વિષયવાળા છે. [આ સંબંધી ઘણો સુંદર ✽
ખુલાસો
તત્ત્વાર્થરાજવાર્તિક પૃ. ૪૯૩-૪માં કર્યો છે. ટૂકમાં તેની સમજણ આ
પ્રમાણેઃ — જેમ કે એક પક્ષીનો અવાજ સાંભળીને એક માણસે કહ્યું
કે આ નગરમાં પક્ષી બોલે છે – ૧, બીજાએ કહ્યું – આ નગરના એક ઝાડ
ઉપર પક્ષી બોલે છે – ૨. ત્રીજાએ કહ્યું – ઝાડની મોટી ડાળ ઉપર પક્ષી
બોલે છે – ૩. ચોથાએ કહ્યું – નાની ડાળી ઉપર પક્ષી બોલે છે – ૪.
પાંચમાએ કહ્યું – ડાળીના એક ભાગ ઉપર બેસીને પક્ષી બોલે છે – ૫.
છઠ્ઠાએ કહ્યું – પક્ષી પોતાના શરીરમાં બોલે છે – ૬, અને સાતમાએ કહ્યું –
પક્ષી પોતાના કંઠમાં બોલે છે – ૭. જેમ આ દ્રષ્ટાંતમાં પક્ષીના બોલવાનું
સ્થાન પહેલાં મોટું બતાવ્યું છે અને પછી ક્રમે ક્રમે ઓછું થતું જાય છે
તેમ નૈગમથી એવંભૂત સુધીના સાત નયમાં પણ સમજવું. નૈગમ નયનો
વિષય સૌથી વધારે છે અને એવંભૂત નયનો વિષય સૌથી અલ્પ છે.
આ અપેક્ષાએ કહ્યું કે પહેલા પહેલા નયનો વિષય મહાન છે અને પછી
પછીના નયનો વિષય સૂક્ષ્મ-અલ્પ છે. વળી, પહેલા નયે જેટલા પદાર્થોનો
✽આલાપ