જીવવસ્તુ છે.
તેનું સમાધાન
ચિદ્શક્તિ હોય તો જીવનશક્તિ રહે, ચેતનાના અભાવથી જીવનો
અભાવ છે. ચેતના પ્રકાશરૂપ છે. અનંત ગુણ
તત્ત્વ, પર્યાય તત્ત્વ અને દ્રવ્ય તત્ત્વ એ ત્રણે મય જીવતત્ત્વને જીવનશક્તિ
પ્રકાશે છે. તે ચેતના-લક્ષણનો પ્રકાશ સદા પ્રકાશિત રહે તો જીવત્વ નામ
પામે. માટે ચેતનાલક્ષણ જીવવસ્તુનું છે; અને ચિદ્શક્તિ જુદી કહી, તે
ચૈતન્યશક્તિ પોતાના અનંત પ્રકાશરૂપ મહિમાને ધારણ કરે છે તે
બતાવવા માટે (તેને) જુદી કહી, પણ (અભેદપણે)) દેખીએ તો તે લક્ષણ
જીવનશક્તિનું જ છે. જેમ
ચેતનાથી વિશેષ ચેતના જુદી નથી; વિશેષ ચેતના વિના ચેતનાનું સ્વરૂપ
જાણવામાં ન આવે. તેમ
આવે. આ જીવનશક્તિ અનાદિનિધન અનંત મહિમાને ધારણ કરે છે
અને સર્વ શક્તિઓમાં તે સાર છે, તથા તે સર્વનો જીવ છે, (અર્થાત્
જીવનશક્તિ બધી શક્તિઓનો આત્મા છે). આવી જીવનશક્તિને
જાણવાથી જીવ જગત્પૂજ્ય પદને પામે છે, માટે જીવનશક્તિને જાણો.