૭૬ ]
ચિદ્દવિલાસ
પ્રદેશત્વશકિત
આત્મા વિષે પ્રદેશત્વશક્તિ છે, તેનું વર્ણન કરીએ છીએ.
સંસાર અવસ્થામાં અનાદિ સંસારથી પ્રદેશ – કાયા સંકોચ વિસ્તાર
(પામે છે), મુક્ત થતાં ચરમ શરીરથી કિંચિત્ ઊણા આકારને ધરે✽ છે.
તે એકેક પ્રદેશમાં અનંત ગુણો છે, એવા લોકપ્રમાણ અસંખ્યાત પ્રદેશો
છે. અભેદવિવક્ષામાં ‘પ્રદેશત્વ’, ભેદવિવક્ષામાં ‘અસંખ્ય’, (તથા)
વ્યવહારમાં ‘દેહપ્રમાણ’ કહીએ. તેમજ અવસ્થાન વિવક્ષાથી લોકાગ્ર
અવસ્થાનરૂપ થઈને નિવાસ કરે છે. એકેક પ્રદેશની ગણતરી કરતાં
અસંખ્ય (પ્રદેશો) છે.
અહીં કોઈ પ્રશ્ન કરે છે કે – જિનાગમમાં ‘लोकप्रमाणप्रदेशो हि
निश्चयेन जिनागमे’ આ પ્રમાણે કહ્યું છે. આ ભેદમાં અસંખ્ય કહેતાં નિશ્ચય
સિદ્ધ થતો નથી, (કેમકે) નિશ્ચયમાં ભેદ સિદ્ધ થાય નહિ?
તેનું સમાધાાન : – ભેદથી અસંખ્ય (પ્રદેશ હોવાનું) પ્રમાણ કર્યું,
તેનાથી ઓછા કે વધારે (પ્રદેશો) નથી – આ નિયમરૂપ નિશ્ચય જાણવો.૧
કોઈ પ્રશ્ન કરે છે કે – એક પ્રદેશમાં અનંત ગુણો છે તે સર્વ
પ્રદેશોમાં છે. (જે અનંત ગુણો છે) તે (એક પ્રદેશમાં) આખા આવ્યા
કે ઓછા આવ્યા?
તેનું સમાધાાન : – સર્વ પ્રદેશોમાં જ્ઞાન છે. પ્રદેશ જુદા જુદા
✽જુઓ, સમયસાર ગુજ૦ પૃ. ૫૦૫
૧. જુઓ, દ્રવ્યસંગ્રહ ગા. ૧૦.