૧૨૦
દેવલાની માન્યતા કરે નહિ. લોકમાં મંત્ર-તંત્ર-ઔષધ વગેરે છે તે તો પુણ્ય હોય તો ફળે. પણ આ સમ્યગ્દર્શન સર્વ રત્નોમાં એવું અનુપમ શ્રેષ્ઠ રત્ન છે કે જેનો દેવો પણ મહિમા કરે છે. ૨૧૭.
એકલા વિકલ્પથી તત્ત્વવિચાર કર્યા કરે તો તે જીવ પણ સમ્યક્ત્વ પામતો નથી. અંતરમાં ચૈતન્ય- સ્વભાવનો મહિમા કરીને તેની નિર્વિકલ્પ અનુભૂતિ કરવી તે જ સમ્યગ્દર્શન છે. ૨૧૮.
આત્માનો સ્વભાવ ત્રિકાળી પરમપારિણામિકભાવરૂપ છે; તે સ્વભાવને પકડવાથી જ મુક્તિ થાય છે. તે સ્વભાવ કઈ રીતે પકડાય? રાગાદિ ઔદયિક ભાવ વડે તે સ્વભાવ પકડાતો નથી; ઔદયિક ભાવો તો બહિર્મુખ છે ને પારિણામિક સ્વભાવ તો અંતર્મુખ છે. બહિર્મુખ ભાવ વડે અન્તર્મુખ ભાવ પકડાય નહિ. વળી જે અંતર્મુખી ઔપશમિક, ક્ષાયોપશમિક, ક્ષાયિક ભાવ છે તેના વડે તે પારિણામિક ભાવ જો કે પકડાય છે, તોપણ તે ઔપશમિકાદિ ભાવોના લક્ષે તે પકડાતો નથી. અંતર્મુખ થઈને એ પરમ સ્વભાવને પકડતાં ઔપશમિકાદિ નિર્મળ ભાવો પ્રગટે છે. તે ભાવો પોતે