અહો! સમ્યગ્દર્શન મહારત્ન છે. શુદ્ધ આત્માની નિર્વિકલ્પ પ્રતીતિ તે જ સર્વ રત્નોમાં મહારત્ન છે. લૌકિક રત્નો તો જડ છે, પણ દેહથી ભિન્ન કેવળ શુદ્ધ ચૈતન્યનું ભાન કરીને જે સ્વાનુભવયુક્ત દ્રઢ શ્રદ્ધા પ્રગટે છે તે જ સમ્યગ્દર્શન મહારત્ન છે. ૨૧૫.
ધર્માત્માને પોતાનો રત્નત્રયસ્વરૂપ આત્મા જ પરમપ્રિય છે, સંસાર સંબંધી બીજું કાંઈ પ્રિય નથી. જેમ ગાયને પોતાના વાછરડા પ્રત્યે અને બાળકને પોતાની માતા પ્રત્યે કેવો પ્રેમ હોય છે, તેમ ધર્મીને પોતાના રત્નત્રયસ્વભાવરૂપ મોક્ષમાર્ગ પ્રત્યે અભેદબુદ્ધિથી પરમ વાત્સલ્ય હોય છે. પોતાને રત્નત્રયધર્મમાં પરમ વાત્સલ્ય હોવાથી બીજા રત્નત્રયધર્મધારક જીવો પ્રત્યે પણ તેને વાત્સલ્યનો ઊભરો આવ્યા વિના રહેતો નથી. ૨૧૬.
સ્વર્ગમાં રત્નોના ઢગલા મળે તેમાં જીવનું કાંઈ કલ્યાણ નથી. સમ્યગ્દર્શનરત્ન અપૂર્વ કલ્યાણકારી છે, સર્વ કલ્યાણનું મૂળ છે. તેના વિના જે કરે તે તો બધુંય ‘રાખ ઉપર લીપણ’ જેવું વ્યર્થ છે. સમ્યગ્દ્રષ્ટિ જીવ લક્ષ્મી-પુત્ર વગેરે માટે કોઈ શીતળા વગેરે દેવી-