Gurudevshreena Vachanamrut (Gujarati). Bol: 214.

< Previous Page   Next Page >


Page 118 of 181
PDF/HTML Page 145 of 208

 

૧૧૮

ગુરુદેવશ્રીનાં વચનામૃત

પોતે જ પરિણમે છે, સાધનપણે પણ પોતે જ પરિણમે છે. કર્તા, કર્મ, કરણ વગેરે છ કારકો ભિન્નભિન્ન નથી પણ અભેદ છે. આત્મા પોતે એકલો જ કર્તા-કર્મ-કરણ- સંપ્રદાન-અપાદાન-અધિકરણરૂપ થાય છે; છ કારકરૂપ અને એવી અનંત શક્તિઓરૂપ આત્મા પોતે જ પરિણમે છે. એ રીતે એકસાથે અનંત શક્તિઓ જ્ઞાનમૂર્તિ આત્મામાં ઊછળી રહી છે, તેથી તે ભગવાન અનેકાન્ત- મૂર્તિ છે. ૨૧૩.

અહા! મુનિદશા કેવી હોય તેનો વિચાર તો કરો! છઠ્ઠે-સાતમે ગુણસ્થાને ઝૂલતા એ મુનિઓ સ્વરૂપમાં ગુપ્ત થઈ ગયા હોય છે. પ્રચુર સ્વસંવેદન એ જ મુનિનું ભાવલિંગ છે, અને દેહનું નગ્નપણુંવસ્ત્રપાત્ર રહિત નિર્ગ્રંથ દશાતે તેમનું દ્રવ્યલિંગ છે. તેમને અપવાદ વ્રતાદિનો શુભ રાગ આવે, પણ વસ્ત્રગ્રહણનો કે અધઃકર્મ તેમ જ ઉદ્દેશિક આહાર લેવાનો ભાવ હોય નહિ. અહા! શ્રી ૠષભદેવ ભગવાનને મુનિદશામાં પ્રથમ છ મહિનાના ઉપવાસ હતા, પછી આહારનો વિકલ્પ ઊઠતો હતો, પણ મુનિની વિધિપૂર્વક આહાર મળતો નહોતો; તેથી વિકલ્પ તોડીને અંદર આનંદમાં રહેતા હતા. આનંદમાં રહેવું એ જ આત્માનું કર્તવ્ય છે. ૨૧૪.