Gurudevshreena Vachanamrut (Gujarati). Bol: 212-213.

< Previous Page   Next Page >


Page 117 of 181
PDF/HTML Page 144 of 208

 

ગુરુદેવશ્રીનાં વચનામૃત
૧૧૭

ભાન નથી રહેતું, તેમ ચૈતન્યની અત્યંત શાન્તિમાં ઠરી ગયેલા મુનિવરોને જગતના બાહ્ય વિષયોમાં જરા પણ આસક્તિ થતી નથી; અંદર સ્વરૂપની લીનતામાંથી બહાર નીકળવું જરાય ગોઠતું નથી; આસપાસ વનના વાઘ ને સિંહ ત્રાડ પાડતા હોય તોપણ તેનાથી જરાય ડરતા નથી કે સ્વરૂપની સ્થિરતાથી જરાય ડગતા નથી. અહા! ધન્ય એ અદ્ભુત દશા! ૨૧૧.

અહા! જુઓ, આ પરમ સત્ય માર્ગ. ભગવાન સીમંધર પરમાત્મા પૂર્વવિદેહક્ષેત્રે અત્યારે બિરાજી રહ્યા છે, ત્યાં જઈને શ્રી કુંદકુંદાચાર્યદેવ ભગવાન પાસેથી દિવ્ય ધ્વનિ સાંભળી આવ્યા, ને પછી તેમણે આ શાસ્ત્રોમાં પરમ સત્ય માર્ગની ચોખવટ કરી. અહા, કેવો સત્ય માર્ગ! કેવો ચોખ્ખો માર્ગ! કેવો પ્રસિદ્ધ માર્ગ! પણ અત્યારે લોકો શાસ્ત્રોના નામે પણ માર્ગમાં મોટી ગરબડ ઊભી કરી રહ્યા છે. શું થાય? એવો જ કાળ! પણ સત્ય માર્ગ તો જે છે તે જ રહેવાનો છે. શુદ્ધોપયોગરૂપ સાક્ષાત્ મોક્ષમાર્ગ ત્રણે કાળે જયવંત છે, તે જ અભિનંદનીય છે. ૨૧૨.

કર્મપણે આત્મા જ પરિણમે છે, કર્તાપણે પણ આત્મા