Gurudevshreena Vachanamrut (Gujarati). Bol: 222-224.

< Previous Page   Next Page >


Page 122 of 181
PDF/HTML Page 149 of 208

 

૧૨૨

ગુરુદેવશ્રીનાં વચનામૃત

નથી, એમ માને તે સમ્યગ્જ્ઞાની છે. ૨૨૧.

જે કોઈ આત્મા જડ-કર્મની અવસ્થાને અને શરીરાદિની અવસ્થાને કરતો નથી, તેને પોતાનું કર્તવ્ય માનતો નથી, તન્મયબુદ્ધિએ પરિણમતો નથી પરંતુ માત્ર જાણે છે એટલે કે તટસ્થ રહ્યો થકોસાક્ષીપણે જાણે છે, તે આત્મા જ્ઞાની છે. ૨૨૨.

વિકાર જીવની જ પર્યાયમાં થાય છે તે અપેક્ષાએ તો તેને જીવનો જાણવો; પણ જીવનો સ્વભાવ વિકારમય નથી, જીવનો સ્વભાવ તો વિકાર રહિત છે. એ રીતે સ્વભાવદ્રષ્ટિથી વિકાર જીવનો નથી, પણ પુદ્ગલના લક્ષે થતો હોવાથી તે પુદ્ગલનો છે એમ જાણવું. એમ બંને પડખાં જાણીને શુદ્ધસ્વભાવમાં ઢળતાં પર્યાયમાંથી પણ વિકાર ટળી જાય છે, અને એ રીતે જીવ વિકારનો સાક્ષાત્ અકર્તા થઈ જાય છે. માટે પરમાર્થે જીવ વિકારનો કર્તા નથી. ૨૨૩.

ગમે તે સંયોગમાં, ક્ષેત્રમાં કે કાળમાં જે જીવ પોતે નિશ્ચય-સ્વભાવનો આશ્રય કરીને પરિણમે છે તે જ જીવ