Gurudevshreena Vachanamrut (Gujarati). Bol: 225-226.

< Previous Page   Next Page >


Page 123 of 181
PDF/HTML Page 150 of 208

 

ગુરુદેવશ્રીનાં વચનામૃત
૧૨૩

મોક્ષમાર્ગ ને મોક્ષને પામે છે; અને જે જીવ શુદ્ધ સ્વભાવનો આશ્રય કરતો નથી ને પરાશ્રિત એવા વ્યવહારનો આશ્રય કરે છે તે જીવ કોઈ સંયોગમાં, ક્ષેત્રમાં કે કાળમાં સમ્યગ્દર્શનાદિ પામતો નથી. તાત્પર્ય એ છે કે શુદ્ધનય ત્યાગવાયોગ્ય નથી, કારણ કે તેના અત્યાગથી બંધ થતો નથી અને તેના ત્યાગથી બંધ જ થાય છે. ૨૨૪.

વક્તાને શાસ્ત્ર વાંચી આજીવિકાદિ લૌકિક કાર્ય સાધવાની ઇચ્છા ન હોવી જોઈએ; કારણ કે આશાવાન હોય તો યથાર્થ ઉપદેશ આપી શકે નહિ; તેને તો કંઈક શ્રોતાના અભિપ્રાય અનુસાર વ્યાખ્યાન કરી પોતાનું પ્રયોજન સાધવાનો જ અભિપ્રાય રહે. તેથી લોભી વક્તા સાચો ઉપદેશ આપી શકે નહિ. ૨૨૫.

સ્ફટિકમાં રાતી ને કાળી ઝાંય પડે છે તે વખતે પણ તેનો જે મૂળ નિર્મળ સ્વભાવ છે તેનો અભાવ થયો નથી; જો નિર્મળપણાની શક્તિ ન હોય તો રાતા-કાળાં ફૂલ દૂર થતાં જે નિર્મળપણું પ્રગટ થાય છે તે ક્યાંથી આવ્યું? તેમ આત્મામાં પુણ્ય-પાપના ભાવ થાય છે તે વખતે પણ આત્માના મૂળ શુદ્ધ સ્વભાવનો અભાવ થયો