Gurudevshreena Vachanamrut (Gujarati). Bol: 227-228.

< Previous Page   Next Page >


Page 124 of 181
PDF/HTML Page 151 of 208

 

૧૨૪

ગુરુદેવશ્રીનાં વચનામૃત

નથી. જો અંદર શુદ્ધતારૂપે થવાની શક્તિ ન હોય તો, પુણ્ય-પાપના પરિણામ વખતે શક્તિરૂપ શુદ્ધતાનો નાશ થયો હોય તો, પર્યાયમાં શુદ્ધતા આવે ક્યાંથી? દ્રવ્યમાં શક્તિપણે શુદ્ધતા ભરી છે તો પર્યાયમાં શુદ્ધતા પ્રાપ્ત થાય છે; પ્રાપ્તમાંથી પ્રાપ્તિ થાય છે; જેમાં હોય તેમાંથી પ્રગટે, જેમાં ન હોય એમાંથી શું પ્રગટે? ૨૨૬.

પરલક્ષે થનારા રાગાદિ ભાવ તો પરવશ થવાનું કારણ છે; તેનાથી તો કર્મબંધન થાય છે ને શરીર મળે છે; તેનાથી કાંઈ અશરીરી થવાતું નથી. સ્વવશ એવો જે શુદ્ધરત્નત્રયભાવ છે તે જ કર્મબંધન તોડીને અશરીરી સિદ્ધ થવાનો ઉપાય છે. જેને મોક્ષ પામવો હોય, સિદ્ધ થવું હોય તેને તો આ જ જરૂર કરવા જેવું કાર્ય છે, એટલે કે અંતર્મુખ થઈને આત્માના આશ્રયે સમ્યક્ શ્રદ્ધા, જ્ઞાન ને એકાગ્રતા કરવાયોગ્ય છે; તેના વડે નિયમથી મુક્તિ થાય છે. ૨૨૭.

બહારના ક્રિયાકાંડમાં લોકોને રસ લાગી ગયો છે, ને અંદરની આ જ્ઞાયકવસ્તુ રહી ગઈ છે. વસ્તુ શી છે? તેનું સ્વરૂપ કેવું છે? વગેરે પ્રકારે એનું ઘોલન થવું જોઈએ. વસ્તુસ્વરૂપને સમજ્યા વિના જીવને પાધરો