૧૩૦
તો આત્મામાં આવીને આત્મિક આનંદને ભોગવ! અહાહા! જેમ પાણીના ધોરિયા વહેતા હોય તેમ આ ધર્મના ધોરિયા વહે છે. પીતાં આવડે તો પી. ભાઈ! સારા કાળે તો કાલનો કઠિયારો હોય તે આજે કેવળજ્ઞાન પામે, એવો તે કાળ હતો. જેમ પુણ્યશાળીને પગલે પગલે નિધાન નીકળે તેમ આત્મપિપાસુને પર્યાયે પર્યાયે આત્મામાંથી આનંદનાં નિધાન મળે છે. ૨૩૮.
આત્માની વાત પૂર્વે અનંત વાર સાંભળી છતાં, ચૈતન્યવસ્તુ જેવી મહાન છે તેવી લક્ષમાં ન લીધી, તેનો પ્રેમ ન કર્યો, તેથી શ્રવણનું ફળ ન આવ્યું. માટે તેણે આત્માની વાત સાંભળી જ નથી. ખરેખર સાંભળ્યું તેને કહેવાય કે જેવી ચૈતન્યવસ્તુ છે તેવી અનુભવમાં આવી જાય. ૨૩૯.
ધર્માત્માઓ પ્રત્યે દાન તેમ જ બહુમાનનો ભાવ આવે તેમાં પોતાની ધર્મભાવના ઘુંટાય છે. જેને પોતાને ધર્મનો પ્રેમ છે તેને બીજા ધર્માત્મા પ્રત્યે પ્રમોદ, પ્રેમ ને બહુમાન આવે છે. ધર્મ ધર્મીજીવના આધારે છે, તેથી જેને ધર્મીજીવો પ્રત્યે પ્રેમ નથી તેને ધર્મનો જ પ્રેમ નથી. ભવ્ય જીવોએ સાધર્મી સજ્જનો સાથે