Gurudevshreena Vachanamrut (Gujarati). Bol: 256-257.

< Previous Page   Next Page >


Page 137 of 181
PDF/HTML Page 164 of 208

 

ગુરુદેવશ્રીનાં વચનામૃત
૧૩૭

છે તોપણ અસ્થિરતા છે તેથી લડાઈના પ્રસંગમાં જોડાવા વગેરેના પાપભાવ અને બીજાને સુખી કરવાના, જિવાડવાના તથા ભક્તિ વગેરેના પુણ્યભાવ આવે છે. પરંતુ તેઓ સમજે છે કે આ ભાવો પુરુષાર્થની નબળાઈથી થાય છે. સ્વરૂપમાં લીનતાનો પુરુષાર્થ કરી, અવશિષ્ટ રાગને ટાળીને મોક્ષપર્યાય પ્રગટ કરીશું એવી ભાવનાનું બળ તેમને નિરંતર હોય છે. ૨૫૫.

દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, કોઈ કોઈનું કાંઈ કરી શકતું નથી. સ્વતંત્રતાની આ વાત સમજવામાં મોંઘી લાગે, પરંતુ જેટલો કાળ સંસારમાં ગયો તેટલો કાળ મુક્તિ પ્રગટ કરવામાં ન જોઈએ માટે સત્ય તે સહેલું છે. સત્ય જો મોંઘું હોય તો મુક્તિ થાય કોની? માટે જેને આત્મહિત કરવું છે તેને સત્ય નજીક જ છે. ૨૫૬.

આત્મા જ આનંદનું ધામ છે, તેમાં અંતર્મુખ થયે જ સુખ છેઆવી વાણીના રણકાર જ્યાં કાને પડે ત્યાં આત્માર્થી જીવનો આત્મા અંદરથી ઝણઝણી ઊઠે છે કે વાહ! આ ભવરહિત વીતરાગી પુરુષની વાણી! આત્માના પરમ શાન્તરસને બતાવનારી આ વાણી