Gurudevshreena Vachanamrut (Gujarati). Bol: 275.

< Previous Page   Next Page >


Page 148 of 181
PDF/HTML Page 175 of 208

 

૧૪૮

ગુરુદેવશ્રીનાં વચનામૃત

સ્વાનુભૂતિ થતાં જીવને કેવો સાક્ષાત્કાર થાય? સ્વાનુભૂતિ થતાં, અનાકુળ-આહ્લાદમય, એક, આખાય વિશ્વની ઉપર તરતો વિજ્ઞાનઘન પરમપદાર્થપરમાત્મા અનુભવમાં આવે છે. આવા અનુભવ વિના આત્મા સમ્યક્પણે દેખાતોશ્રદ્ધાતો જ નથી, તેથી સ્વાનુભૂતિ વિના સમ્યગ્દર્શનનીધર્મની શરૂઆત જ થતી નથી.

આવી સ્વાનુભૂતિ પ્રાપ્ત કરવા જીવે શું કરવું? સ્વાનુભૂતિની પ્રાપ્તિ માટે જ્ઞાનસ્વભાવી આત્માનો ગમે તેમ કરીને પણ દ્રઢ નિર્ણય કરવો. જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય દ્રઢ કરવામાં સહાયભૂત તત્ત્વજ્ઞાનનો દ્રવ્યોનું સ્વયંસિદ્ધ સત્પણું ને સ્વતંત્રતા, દ્રવ્ય-ગુણ-પર્યાય, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય, નવ તત્ત્વનું સાચું સ્વરૂપ, જીવ અને શરીરની તદ્દન ભિન્નભિન્ન ક્રિયાઓ, પુણ્ય અને ધર્મના લક્ષણભેદ, નિશ્ચય-વ્યવહાર ઇત્યાદિ અનેક વિષયોના સાચા બોધનોઅભ્યાસ કરવો. તીર્થંકર ભગવંતોએ કહેલાં આવાં અનેક પ્રયોજનભૂત સત્યોના અભ્યાસની સાથે સાથે સર્વ તત્ત્વજ્ઞાનનો શિરમોરમુગટમણિ જે શુદ્ધદ્રવ્યસામાન્ય અર્થાત્ પરમ પારિણામિકભાવ એટલે કે જ્ઞાયકસ્વભાવી શુદ્ધાત્મદ્રવ્યસામાન્યજે સ્વાનુભૂતિનો આધાર છે, સમ્યગ્દર્શનનો આશ્રય છે, મોક્ષમાર્ગનું આલંબન છે, સર્વ શુદ્ધભાવોનો નાથ છેતેનો દિવ્ય મહિમા હૃદયમાં સર્વાધિકપણે અંકિત કરવા યોગ્ય છે. તે