ૐ
ૐ
नमः परमात्मने।
ગુરુદેવશ્રીનાં વચનામૃત
[પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીનાં પ્રવચનોમાંથી વીણેલાં]
(નંદીશ્વર-જિનાલયમાં કોતરાયેલાં)
ૐ સહજ ચિદાનંદ. ૧.
❀
નિશ્ચયદ્રષ્ટિથી દરેક જીવ પરમાત્મસ્વરૂપ જ છે. જિનવર ને જીવમાં ફેર નથી. ભલે તે એકેન્દ્રિયનો જીવ હોય કે સ્વર્ગનો જીવ હોય. એ બધું તો પર્યાયમાં છે. આત્મવસ્તુ સ્વરૂપે તો પરમાત્મા જ છે. પર્યાય ઉપરથી જેની દ્રષ્ટિ ખસીને સ્વરૂપ ઉપર દ્રષ્ટિ થઈ છે તે તો પોતાને પણ પરમાત્મસ્વરૂપ દેખે છે ને દરેક જીવને પણ પરમાત્મસ્વરૂપ દેખે છે. સમ્યગ્દ્રષ્ટિ બધા જીવોને જિનવર