Gurudevshreena Vachanamrut (Gujarati). Bol: 3-5.

< Previous Page   Next Page >


Page 2 of 181
PDF/HTML Page 29 of 208

 

ગુરુદેવશ્રીનાં વચનામૃત

જાણે છે અને જિનવરને જીવ જાણે છે. અહા! કેટલી વિશાળ દ્રષ્ટિ! અરે, આ વાત બેસે તો કલ્યાણ થઈ જાય; પણ આવી કબૂલાતને રોકનારા ખોટી માન્યતારૂપી ગઢના પાર ન મળે! અહીં તો કહે છે કે બાર અંગનો સાર એ છે કે આત્માને જિનવર સમાન દ્રષ્ટિમાં લેવો, કેમ કે આત્માનું સ્વરૂપ પરમાત્મા જેવું જ છે. ૨.

હું એક અખંડ જ્ઞાયકમૂર્તિ છું, વિકલ્પનો એક અંશ પણ મારો નથીએવો સ્વાશ્રયભાવ રહે તે મુક્તિનું કારણ છે; અને વિકલ્પનો એક અંશ પણ મને આશ્રયરૂપ છેએવો પરાશ્રયભાવ રહે તે બંધનું કારણ છે. ૩.

દર્શનશુદ્ધિથી જ આત્મસિદ્ધિ. ૪.

ભવભ્રમણનો અંત લાવવાનો સાચો ઉપાય શો? દ્રવ્યસંયમસે ગ્રીવેક પાયો, ફિર પીછો પટક્યો,’ ત્યાં શું કરવું બાકી રહ્યું?માર્ગ કોઈ જુદો જ છે; હાલમાં તો ઊંધેથી જ શરૂઆત કરવામાં આવે છે. આ ક્રિયાકાંડ મોક્ષમાર્ગ નથી, પરંતુ પારમાર્થિક આત્મા તથા સમ્યગ્દર્શન વગેરેનું સ્વરૂપ નક્કી કરી સ્વાનુભવ કરવો તે માર્ગ છે; અનુભવમાં વિશેષ