૨૦
આનંદ તે તપશ્ચર્યાનું ફળ છે. ૩૧.
પ્રવચનસાર અને સમયસારમાં ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ તથા શ્રી અમૃતચંદ્રાચાર્યદેવનો અન્તર્નાદ છે કે અમે જેમ કહીએ છીએ તેમ જ વસ્તુનું સ્વરૂપ છે અને તે સર્વજ્ઞના ઘરની વાત અમે જાત-અનુભવથી કહીએ છીએ. આ સ્વરૂપ સમજ્યે, શ્રદ્ધ્યે એક-બે ભવે અવશ્ય મોક્ષ થાય છે – એમ અપ્રતિહત ભાવની વાત કરી છે; પાછા પડી જવાની વાત નથી. જે સ્વરૂપ બેહદ છે, અનંત છે, સ્વાધીન છે, તેનો અંદરથી યથાર્થ નિર્ણય થયા પછી પાછો કેમ પડે? જે ભાવે પૂર્ણની શ્રદ્ધા કરી છે તે જ ભાવ (સ્વાનુભવ) આખું નિર્મળ આત્મપદ પૂરું પાડે છે. ૩૨.
જગતમાં મોટે ભાગે એવી ભ્રામક માન્યતાઓ પ્રચલિત છે કે કર્તા વગર આ જગત બની શકે નહિ, એક આત્મા બીજાનાં જીવન-મરણ, સુખ-દુઃખ, ઉપકાર- અપકાર કરી શકે, આત્માની પ્રેરણાથી શરીર હાલી- ચાલી, બોલી શકે, કર્મ આત્માને હેરાન કરે, કોઈના આશીર્વાદથી બીજાનું કલ્યાણ થાય ને શાપથી અકલ્યાણ થાય, દેવ-ગુરુની કૃપાથી મોક્ષની પ્રાપ્તિ થઈ જાય, આપણે બરાબર સંભાળ રાખીએ તો શરીર સારું રહી