એવા પરમ તત્ત્વનું ભાન ન કર્યું, તેની રુચિ પણ ન કરી તો આ મનુષ્યભવ નિષ્ફળ છે. ૬૩.
મુનિદશા થતાં સહેજે નિર્ગ્રંથ દિગંબર દશા થઈ જાય છે. મુનિની દશા ત્રણે કાળે નગ્ન દિગંબર હોય છે. આ કોઈ પક્ષ કે વાડો નથી પણ અનાદિ સત્ય વસ્તુસ્થિતિ છે.
શંકાઃ — મુનિદશામાં વસ્ત્ર હોય તો વાંધો શો છે? વસ્ત્ર તો પરવસ્તુ છે, તે ક્યાં આત્માને નડે છે?
સમાધાનઃ — વસ્ત્ર તો પરવસ્તુ છે અને તે આત્માને કાંઈ નડતાં નથી એ વાત પણ ખરી છે; પરંતુ વસ્ત્ર ગ્રહણ કરવાની જે બુદ્ધિ છે તે રાગમય બુદ્ધિ જ મુનિદશાને રોકનાર છે. મુનિઓને અંતરની રમણતા કરતાં કરતાં એટલી ઉદાસીન દશા સહેજે થઈ ગઈ હોય છે કે વસ્ત્રના ગ્રહણનો વિકલ્પ જ ઊઠતો નથી. ૬૪.
પરના નિમિત્તે ને પોતાની યોગ્યતાના કારણે જીવ પર્યાયમાં ભૂલ કરે તો જે રાગ-દ્વેષરૂપ ધુમાડો ઊઠે છે તે અશુદ્ધ ઉપાદાનથી થયેલી જીવની — જીવના વીતરાગ- સ્વભાવ નામના ચારિત્રગુણની — અરૂપી વિકારરૂપ ઊંધી