અનાદિથી ચોરાશીના અવતારમાં ભટકીને ભૂકા થઈ ગયા, તોપણ જ્ઞાન તે આત્મા તેમ
જાણ્યું નહિ પણ આત્માને અણાત્મા માન્યો અને અણાત્માને આત્મા માન્યો.
જ્ઞાન થાય છે-પોતાનું જ્ઞાન જણાય છે.
છે? ને કેવા થાય છે? એમ એની નજર ચણા ઉપર હોય. પણ ડાળા-પાંદડા ઉપર
નજર ન હોય. તથા જેમ સોનામાં મણિ જડેલ હોય ને ઝવેરી પાસે જાવ તો તેની દ્રષ્ટિ
મણિ પર જ હોય; સોના પર નહિ કેમ કે તેને મણિનું કામ છે જ્યારે સોનીને ત્યાં જાવ
તો તેની દ્રષ્ટિ સોના ઉપર જ હોય, તેમ જેને આત્માની શ્રદ્ધા જ્ઞાન ને ભાન થયું તેને
જ્યાં હોય ત્યાં આત્માનો પાક જ દેખાય કે હું જાણનાર-દેખનાર છું. બીજું મારામાં છે
નહિ ને હું જ મને જાણનાર-દેખનાર છું.
गुरुहु पसाएं जाम णवि अप्पा–देउ मुणेइ ।। ४१।।
ભમે કુતીર્થે ત્યાં સુધી, કરે કપટના ખેલ. ૪૧.
કુતીર્થોમાં ભમે છે, જ્યાં ત્યાં ભટક્યા કરે છે.
માનવો તે લોકમૂઢતા છે. વિષયોની પ્રાપ્તિ માટે જીવ મિથ્યાદેવ, મિથ્યાગુરુ ને મિથ્યા
શાસ્ત્રોની ખૂબ પૂજા-ભક્તિ કરે છે. પણ તે મૂઢતા છે. શુદ્ધાત્માને અનુભવવો તે દેવની
સાચી પૂજા છે, સમ્યગ્દર્શન છે. બાકી કુતીર્થોમાં રખડવાથી કાંઈ લાભ થાય નહિ.
તૂંબડીનો દાખલો આવે છે ને કે તૂંબડીને તીર્થમાં ખૂબ નવરાવી પણ એની કડવાશ તો
ગઈ નહિ. તો પછી શું તારી કડવાશ તીર્થમાં નાવાથી ચાલી જશે? અહા! ભ્રમણારૂપી
ઝેર તો ઉતર્યા નથી તો પછી શેના તીર્થ કર્યા?