Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


Page 90 of 238
PDF/HTML Page 101 of 249

 

background image
૯૦] [હું
હવે કહે છે નિજ શરીર જ નિશ્ચયથી તિર્થ અને મંદિર છે.
तित्थहि देवलि देउ णवि इम सुइकेवलि–वुत्तु ।
देहा–देवलि देउ जिणु एहउ जाणि णिरुत्तु ।। ४२।।
તીર્થ-મંદિરે દેવ નહિ-એ શ્રુતકેવળી વાણ;
તન-મંદિરમાં દેવ જિન, તે નિશ્ચયથી જાણ. ૪૨.
શ્રુતકેવળી અને ભગવાન કહે છે કે નિશ્ચયથી દેવાલયમાં પરમાત્મા નથી પણ
શરીરરૂપી તારા દેહદેવળમાં પરમાત્મા-તારો આત્મા બિરાજમાન છે-તેમ જાણ ને! તેની
પૂજા કર, તે દેવની પૂજા છે. મંદિરમાં તો ભગવાનની સ્થાપના છે પણ ત્યાં ખરા
ભગવાન નથી કેમ કે ખરા ભગવાન તો સમવસરણમાં છે અને ત્યાં જઈશ તોપણ તને
ભગવાનનું શરીર જ દેખાશે. ભગવાનનો આત્મા નહિ દેખાય. ભગવાનનો આત્મા
ક્યારે દેખાશે? કે જ્યારે તું તારા આત્માને દેખીશ ત્યારે. રાગની આંખ બંધ કરી પરને
જોવાનું બંધ કરીશ ને સ્વને જાણીશ-દેખીશ ત્યારે તારો આત્મા જણાશે અને ત્યારે
ખરેખર ભગવાન તને જણાશે-કે પરમાત્મા આવા હોય. ભગવાનની ભક્તિ કરે છે ને!
તે પણ પોતાના આત્માને જેણે જાણ્યો છે તે ભક્તિ કરે છે, અને તેની ભક્તિ જ
વ્યવહારથી સાચી છે.
મારે (નિશ્ચયથી) અર્હંત આદિનું શરણ લેવાનું
નથી, પરંતુ આત્માનું શરણ લેતાં તેમાં ઈ બધા
આવી જાય છે. માટે આત્મા જ શરણરૂપ છે. અર્હંત
એટલે વીતરાગી પર્યાય, સિદ્ધ એટલે વીતરાગી પર્યાય,
આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એટલે વીતરાગી પર્યાય
-એ બધી વીતરાગી પર્યાયો મારા આત્મામાં જ
પડેલી છે. તેથી મારે બીજે ક્યાંય નજર કરવાની
નથી. મારે ઊંચે આંખ કરીને બીજે ક્યાંય જોવાનું
નથી. મારો આત્મા જ મને શરણરૂપ છે.
-પૂજ્ય ગુરુદેવ