देहा–देवलि देउ जिणु एहउ जाणि णिरुत्तु ।। ४२।।
તન-મંદિરમાં દેવ જિન, તે નિશ્ચયથી જાણ. ૪૨.
આ આત્મા નથી. આ આત્માને જોવો અને જાણવો હોય તો એ આ શરીરરૂપી તીર્થ
અને મંદિરમાં જ દેખાશે. આ આત્મા કાંઈ ભગવાન પાસે નથી. પ્રશ્નઃ-ભગવાન પાસે
આત્માનો નમૂનો તો છે ને?-કે આ આત્મા ત્યાં છે કે અહીં? આ આત્મા અહીં છે, તો
તેનો નમૂનો પણ અહીં જ છે.
મંદિર...અમારું મંદિર. પણ એલા, મંદિરમાં તારો ભગવાન ક્યાં છે? તારો ભગવાન તો
તારામાં છે. શ્રુતકેવળી આમ કહે છે કે આ દેહદેવાલયમાં ભગવાન બિરાજે છે. આમ
કહીને સિદ્ધ કરે છે કે તારામાં જોવાથી તને આત્મા મળશે. મંદિરના ભગવાન સામે
જોવાથી તારો આત્મા નહિ મળે. મંદિરમાં તો ભગવાન કેવા હોય, કેવા હતા તેનું
પ્રતિબિંબ છે. તેનાથી પર પરમેશ્વરનું સ્મરણ થાય પણ પોતાનો આત્મા ન દેખાય.
સાક્ષાત્ ભગવાન સામે જોવાથી પણ આ ભગવાન ન દેખાય.
આવા હતા એમ સ્મરણ થાય એમાં પણ ઉપાદાન તો પોતાનું જ છે. આટલી વાત
અહીં સિદ્ધ કરવી છે.
દેહમંદિર છે જેમાં ખરેખર પોતાનો ભગવાન બિરાજે છે. જિનપ્રતિમા તો શુભમાં-
નિમિત્ત તરીકે ભગવાન કેવા હતા તેમ તેનાથી સ્મરણ થાય પણ ત્યાં ભગવાન ક્યાં
હતા? સમ્યગ્દર્શન-જ્ઞાન તો અંતર દ્રષ્ટિ કરશે ત્યારે થશે, એ વાત પછી લેશે. અહીં તો
એટલી વાત છે કે અનંતકાળમાં