ટાળવાનો ઉપાય છે. એટલે કે પુણ્ય-પાપના વિકારીભાવનો અનુભવ તો રોગને ઉત્પન્ન
કરવાનું કારણ છે. જ્યારે આત્માનો અનુભવ તે જ મોક્ષનો ઉપાય છે.
સિવાય પરમાં જરીયે તારો પુરુષાર્થ કામ કરે નહીં. આહાહા! પોતાની સત્તામાં રહીને
કાં તો વિકાર કરે ને કાં તો આત્માનો અનુભવ કરીને મુક્તિ કરે. બાકી બહારનું ફોતરું
પણ તે ફેરવી શકે નહીં. તેનો રોગ શું છે તે બતાવનાર જ્ઞાની છે. અને તેની આજ્ઞા છે
કે વિચાર ને ધ્યાન તે રોગનું ઔષધ છે. ભગવાન આત્માની પર સન્મુખની
ઉપયોગદશાને ફેરવી પોતાના અંર્તસ્વભાવમાં ઉપયોગને જોડવો તે યોગસાર છે ને તેને
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર કહે છે. અને એ જ ધર્મ-રસાયણ છે કે જે પીવાથી
પરમાનંદનો લાભ થાય છે. આત્મામાં થતાં શુભ-અશુભભાવ તે ધર્મ નથી. પરંતુ
આત્માના શુભ-અશુભભાવથી ખસીને અંતર આત્મામાં શુદ્ધ ભાવ પ્રગટ કરવો તેને
ભગવાન ધર્મ કહે છે, અને આત્માનો અનુભવ જ મોક્ષનો ઉપાય છે.
નાશ કરવાનો તારો કાળ છે. તારે ટાણા આવ્યા છે.
धम्मु ण मढिय–पणसि धम्मु ण मत्था–लुंचियई ।। ४७।।
રાખે વેશ મુનિ તણો, ધર્મ ન થાયે લેશ. ૪૭.
છે, નગ્ન દિગમ્બર, જંગલવાસી આચાર્ય છે ને આત્મધ્યાનમાં મસ્ત છે. તેઓ આમ કહે
છે કે કોઈ એકાંત વનમાં કે મઠમાં રહે તેમાં શું થયું? વનમાં તો ઘણા ચકલા પણ રહે
છે. જ્યાં ધર્મનું ભાન નથી ત્યાં મઠ ને વન એક જ છે. જ્ઞાનાનંદ શુદ્ધ આત્માનું ભાન
કરીને તે ભલે વનમાં રહે કે ભલે ઘરમાં રહે પણ તે આત્મામાં જ છે. કેશલોચનથી
પણ ધર્મ નથી.