‘ન હોવાપણે’ કેમ કહેવું? તું પૂર્ણ સત્તા ‘સતતં સુલભં’ ભગવાન! તું તને સુલભ ન
હો તો બીજી કઈ ચીજ સુલભ હોય? તું તારી હથેળીમાં છો એટલે કે તું તને અત્યંત
સુલભ છો.
કરવો પડે ને હોવો જ જોઈએ હોય તો મને ઠીક એમ સમ્યગ્દ્રષ્ટિ માનતો નથી.
વ્યવહારનું પૂછડું નિશ્ચયને લાગુ પડતું નથી.
જેણે આત્માને પ્રત્યક્ષ જાણ્યો નથી તે સંસારથી નહિ છૂટે. સમજાણું કાંઈ? જ્ઞાનથી
જ્ઞાનને વેદે તે પ્રત્યક્ષજ્ઞાન છે. શાસ્ત્રથી, મનથી, ગુરુવચનથી કે વિકલ્પથી આત્માનું
જાણપણું તે પરોક્ષ છે, પ્રત્યક્ષજ્ઞાન નથી.
આવેલી આ વાત છે. મિથ્યાત્વ એ જ સંસાર છે. મિથ્યાત્વ જાય પછી સંસાર ન રહે.
ભગવાન આત્માનું અતીન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાન કરી તેમાં સ્થિર થા! વારંવાર અતીન્દ્રિય
જ્ઞાનનો સ્પર્શ કર! તને જરૂર સુખ થશે.
સંવર-નિર્જરા ન થાય. લાખ ઉપવાસ કરે પણ અનુભવ ન હોય તેને સંવર-નિર્જરા ન
થાય. આ ધરમ તો બહુ મોંઘો!! તેને જ્ઞાની કહે છે કે ભાઈ! ધર્મ તો બહુ સોંઘો છે.
બહારની વસ્તુમાં તો પૈસા જોઈએ બજારમાં લેવા જવું પડે ને આ ધર્મ પ્રગટ કરવામાં
તો ક્યાંય જવું પણ ન પડે ને કોઈ બીજાની જરૂર પણ ન પડે. અરે! પણ માણસને
પોતાની જાતને જાણવી મોંઘી લાગે છે! તારું પરમાત્મસ્વરૂપ તો તારી પાસે જ બિરાજી
રહ્યું છે તેને જાણવું તે મોંઘુ નથી.
આગ ભભૂકી ઊઠે છે જે કર્મરૂપી ઇંધનને જલાવીને ભસ્મ કરી નાખે છે. આત્માના
ધ્યાન વિના કર્મથી મુક્ત કોઈ થઈ શકતું નથી. માટે વાસ્તવમાં આત્માનુભવ જ
મોક્ષમાર્ગ છે. સમકિત બાહ્ય ચારિત્રને મોક્ષમાર્ગ માનતા નથી.