કે વાણીને ઝીલનાર ગણધરદેવની હાજરી ન હતી માટે વાણી ન છૂટી, પણ ખરેખર તો
વાણી છૂટવાનો યોગ ન હતો માટે જ વાણી ન છૂટી. પછી વિચાર કરીને ઇન્દ્ર
ઇન્દ્રભૂતિ-ગૌતમ પાસે ગયા અને છ દ્રવ્ય, સાત તત્ત્વ, નવ પદાર્થ આદિનું સ્વરૂપ
સમજાવવા તેને કહ્યું. એ તો તેને આવડતું ન હતું એટલે કહે ચાલ, તારા ગુરુ પાસે.
તેથી ઇન્દ્ર ગૌતમને લઈને ભગવાન પાસે આવ્યા અને જ્યાં ગૌતમે સમવસરણ જોયું
ત્યાં તો એનું માન ગળી ગયું અને અંદર ગયા ત્યાં તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લીધું.
તેની યોગ્યતા હતી ને! તરત ભગવાનની વાણી છૂટી. શ્રાવણ વદ એકમે સૌપ્રથમ
વાણી છૂટી તે ગૌતમ ગણધરે ઝીલી અને ભાવશ્રુતરૂપે પરિણમીને સુત્રરૂપે વાણી ગૂંથી.
અંતર્મૂહૂર્તમાં બાર અંગ અને ચૌદપૂર્વની રચના કરી. આજના દિવસે આ રચના થઈ. તે
બાર અંગ અને ચૌદ પૂર્વનો સાર શું? તે અહીં કહેવામાં આવે છે.
આવ્યો. ધ્રુવ, શાશ્વત, એકરૂપ, અનાદિ અનંત એવી ચીજમાં એકાકાર થઈને સ્વરૂપના
આનંદનું વેદન થવું તેને યોગસાર કહે છે કે જે મોક્ષનો માર્ગ છે.
विरला झायहिं तत्तु जिय विरला धारहि तत्तु ।। ६६।।
વિરલા ધ્યાવે તત્ત્વને, વિરલા ધારે કોઈ. ૬૬.
પણ દુર્લભ