કોઈ વિરલા જ કરે છે.
રસિયા, પુણ્યના રસિયા, સંસારના રસિયાને આ વાત સાંભળવી બહુ કઠણ પડે છે માટે
કહે છે કે તત્ત્વની વાત સાંભળનાર શ્રોતા પણ દુર્લભ છે. એથી પણ વિશેષ
શુદ્ધાત્મતત્ત્વનું ધ્યાન કરનાર વધુ વિરલ છે. જુઓ! અહીં પૈસાવાળાને કે આબરૂવાળાને
કે બેઠી આવકવાળાને વિરલ ન કહ્યાં પણ શુદ્ધાત્માને જાણનારને વિરલ કહ્યાં. ખરેખર
અતીન્દ્રિય આનંદની બેઠી આવક તો આત્માનું ધ્યાન કરનારને મળી રહી છે. આત્માનું
સ્વરૂપ ધારણામાં લઈને અનુભવ કરનારા કોઈ વિરલા જ હોય છે.
કદાચ જવાનું થઈ જાય તો મૌન રહેવું જોઈએ. આ
અંતરનો માર્ગ તો એવો છે કે સહન કરી લેવું જોઈએ.
વિરોધમાં પડવું નહિ. પોતાનો ગોળ પોતે ચોરીથી અર્થાત્
છુપી રીતે ખાઈ લેવો જોઈએ. ફંફેરો કરવા જેવો કાળ
નથી. પોતાનું સંભાળી લેવા જેવું છે. વાદ-વિવાદમાં
ઊતરવા જેવું નથી.