છે. આ વાતની ના ન પાડ ભાઈ! ના ન પાડ! જિનદેવનું આ ફરમાન છે, તેની તું ના
પાડીશ તો તું જિનવરદેવનો વેરી થઈશ. જિનવરનો વેરી તે આત્માનો વેરી. મિથ્યાદ્રષ્ટિ
સમકિતી થયો એટલે બહિરાત્મામાંથી અંતરાત્મા થયો. હવે અંતરાત્મા થયો તો એની
દ્રષ્ટિમાં-એના વસવાટમાં કાંઈ ફેર પડે કે નહિ? રાગમાં વસવાટ તો બહિરાત્માનો છે,
તો અંતરાત્માનો વસવાટ રાગમાં ન હોઈ શકે, તેનો વસવાટ આત્મામાં છે. આમ કાંઈક
વિચાર ભાઈ! સીધી ના ન પાડી દે.
અનુભવ કરી રહ્યા છે તેવો જ અનુભવ સમ્યગ્દ્રષ્ટિને થાય છે. અતીન્દ્રિય આનંદની
જાતમાં ફેર નથી. સિદ્ધ અને સાધક બંને એક જ જાતના અતીન્દ્રિય આનંદ અનુભવી
રહ્યાં છે. જે સાધન વડે અતીન્દ્રિય આનંદ પ્રાપ્ત થાય છે તે જ સાધન સિદ્ધિસુખનો
ઉપાય છે એટલે કે દર્શન-જ્ઞાન અથવા તો અતીન્દ્રિય આનંદ પોતે જ પૂર્ણ આનંદનું
સાધન છે.
કેમ કે સ્વાનુભવમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણેય સમાય જાય છે. તેથી કહે છે કે
સ્વાનુભવ અતીન્દ્રિય આનંદ જ મોક્ષમહેલની સીધી સડક છે. અહીં મુનિરાજે વિકલ્પ
આદિના તો ભૂકા ઉડાડી દીધા છે. ક્યાંય વિકલ્પનું સ્થાન જ નથી. અતીન્દ્રિય આનંદ
જ પૂર્ણાનંદ સુધી પહોંચાડશે, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. શુભ વિકલ્પ આદિ
વ્યવહાર સાથે હોય પણ તે કોઈ માર્ગ નથી, ઉપાય નથી. હિંસા, જુઠું, ચોરી, પરિગ્રહ,
અબ્રહ્મ આદિનો ત્યાગ, મન-વચન-કાયની શુભ પ્રવૃત્તિ આદિ વિકલ્પો બધાં છે ખરાં
પણ તે વ્યવહારચારિત્ર છે. નિશ્ચયચારિત્ર તો એક અતીન્દ્રિય આનંદરૂપ સ્વાનુભવ છે.
विरला झायहिं तत्तुं जिय विरला धारहि तत्तु ।। ६६।।
વિરલા ધ્યાવે તત્ત્વને, વિરલા ધારે કોઈ. ૬૬.