સજ્જનોએ આત્મિક કામ કરવામાં વાર લગાવવી ન જોઈએ. આવો મનુષ્યદેહ, પાંચ
ઈન્દ્રિય અને જૈનધર્મ મળ્યા પછી આત્મહિતના કાર્યમાં વાર ન લગાડીશ. આજે જ
કરજે. અમૃતચંદ્ર આચાર્ય પ્રવચનસારમાં કહે છે કે આજે જ તારું હિત સાધી લે. વિલંબ
ન કર!
અને આકુળતા થશે અને નિરાકુળ સ્વભાવમાં દ્રષ્ટિ કરતાં પર્યાયમાં પણ નિરાકુળતા
પ્રગટશે. માટે હે જીવ! સ્વભાવદ્રષ્ટિ કરવામાં તું જરાપણ વિલંબ ન કર! આજે જ કર!
અત્યારે જ કર!
મારી સ્ત્રી, પુત્ર, મિત્ર, આ મારું ધન, આબરૂ એમ
અનેક મારા એટલે કે ધનવાળો, શરીરવાળો, સ્ત્રી-પુત્ર-
મિત્રવાળો એમ અનેક વાળાની પીડાનું એને ભાન
નથી પણ પીડાય છે.