असरणु जाणिवि मुणि–धवला अप्पा अप्प मुणंति ।। ६८।।
શરણ ન જાણી મુનિવરો, નિજરૂપ વેદે આપ. ૬૮.
નથી. દરેકને પોતાનો આત્મા જ એક રક્ષક છે, શરણ-દાતાર છે. તેની મુનિ પોતાને
પોતાનું શરણ જાણી પોતે પોતાને ધ્યાવે છે. પોતાના આત્મામાં શરણ મેળવી લ્યે છે.
પરિણતિ દ્વારા જ અનુભવ થઈ શકે છે. એ સિવાય બીજો કોઈ ઉપાય નથી.-એમ પોતે
પહેલાં નિર્ણય કરવો જોઈએ.
જવું પડે છે. બ્રહ્મદત્ત ચક્રવર્તી ૭૦૦ વર્ષનું આયુષ્ય ભોગવી અંત સમયે હીરાના
પલંગમાં સૂતો હતો, હજારો દેવો જેની સેવામાં હાજર હતાં, ૯૬૦૦૦ રાણીઓ સામે
ઊભી હતી અને બ્રહ્મદત્ત મરીને સીધો સાતમી નરકમાં ૩૩ સાગરનું આયુષ્ય લઈને
ગયો. ત્યાં વિલાપ કરે છે કે અરે મને અહીં કોઈ શરણ ન મળે! ભાઈ! તેં આત્માને
તો સાંભળ્યો નથી. વિકલ્પ પણ જ્યાં શરણ નથી, ત્યાં બહારના સંયોગો તો શું શરણ
આપે! અનંત સામર્થ્યનો ધણી પોતાનો આત્મા તેની દ્રષ્ટિ કદી કરી નથી તો તેના
વગર કોણ શરણ આપે? ભગવાન પણ શરણદાતા નથી. પોતાનો પ્રભુ જ પોતાને
શરણદાતા છે. પોતાનો આત્મા જ અરિહંત છે, પોતાનું સ્વરૂપ જ સિદ્ધ સમાન છે,
પોતાનું સ્વરૂપ આચાર્ય, ઉપાધ્યાય, સાધુની વીતરાગી પરિણતિ જેવું છે. આત્મા પોતે જ
પાંચ પદરૂપે છે. અષ્ટપાહુડમાં શ્રી કુંદકુંદાચાર્યે આ વાત લીધી છે કે પાંચેય પદરૂપે
પોતાનો આત્મા જ છે. અરિહંત, સિદ્ધ આદિ કોઈ શરણ આપવા આવતા નથી.
આવે છે, તેમાં અન્ય કોઈ જીવ ફેરફાર કરી શકતો નથી. બૃહદ-સામાયિક પાઠમાં આવે
છે કે જ્યારે મરણ આવે છે ત્યારે વૈદ્ય, બ્રાહ્મણ, સ્ત્રી, પુત્ર, માતા, નોકર, ચાકર કે ઇન્દ્ર
આદિ કોઈ પણ