નથી. પુણ્યબંધ કે પુણ્યફળની તેને ચાહના નથી. જેનાથી પોતાનું શુદ્ધસ્વરૂપ બંધનમાં
આવી જાય એવા ભાવને જ્ઞાની હિતકર કેમ માને? ન જ માને. ધર્મી જ્ઞાની શુદ્ધ-
સ્વરૂપના રુચિવંત ધર્માત્મા મુક્તિના પથિક છે, સંસારના પથિક નથી. બંધનથી
છૂટવાના પથિક છે, તેથી પુણ્યને પણ પાપ સમાન જાણીને છોડવા માગે છે.
આત્માની રુચિ હોય, પુણ્યભાવની રુચિ ન હોય, તો જ તે સાચો મોક્ષાર્થી છે.
जे सुहु असुह परिच्चयहिं ते वि हवंति हु णाणि ।। ७२।।
જાણી શુભાશુભ દૂર કરે, તે જ જ્ઞાનીનો મર્મ. ૭૨
દ્રષ્ટિ કર તો તું સાચો પંડિત છો. પહેલાં તો સમજણમાં એમ લે કે પુણ્ય-પાપ બન્ને
બંધન છે, પછી તે બન્ને ભાવોનો ત્યાગ કર. શુભાશુભભાવની દ્રષ્ટિ છોડી પૂર્ણ શુદ્ધ
નિજસ્વરૂપમાં આવી જા! પુણ્ય ઠીક અને પાપ અઠીક એમ માનનાર તો મિથ્યાદ્રષ્ટિ જ
છે. પુણ્ય-પાપભાવમાં ચૈતન્યનું નૂર-તેજ નથી. બન્ને કર્મ જીવને સંસારમાં ફસાવનાર
છે. માટે મોક્ષાર્થીને ઉચિત છે કે તે બંને ભાવોને સંસારમાં બાંધનાર બેડી જાણીને તેની
રુચિ છોડીને મુક્તિનો ઉપાય કરે.
અઘાતિકર્મમાં પુણ્યભાવથી અનુકૂળ સંયોગો મળે એવા શુભ કર્મો બંધાય છે અને
પાપભાવથી પ્રતિકૂળ સંયોગો પ્રાપ્ત થાય તેવાં અશુભ કર્મો બંધાય. પણ જ્ઞાનાવરણી,
દર્શનાવરણી આદિ ચાર ઘાતિકર્મોમાં તો શુભાશુભ બન્ને ભાવથી એકલો પાપ બંધ જ
પડે છે. આથી અતીન્દ્રિય આનંદનો સ્વાદ લીધો છે. એવા ધર્મી જીવને શુભભાવમાં
તથા તેના ફળમાં મળતાં પાંચ ઈન્દ્રિયના વિષયોમાં પણ રુચિ નથી. તેમાં સુખબુદ્ધિ
થતી નથી. કારણ પુણ્યપરિણામથી પણ આત્મઘાત જ થાય છે.
વૈભવ મળે અને