Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


Page 140 of 238
PDF/HTML Page 151 of 249

 

background image
૧૪૦] [હું
દયા, દાન, પૂજા પણ કરે છે, પણ તેની પાછળ તેને પાંચ ઈન્દ્રિયના ભોગોની લાલસા
નથી. પુણ્યબંધ કે પુણ્યફળની તેને ચાહના નથી. જેનાથી પોતાનું શુદ્ધસ્વરૂપ બંધનમાં
આવી જાય એવા ભાવને જ્ઞાની હિતકર કેમ માને? ન જ માને. ધર્મી જ્ઞાની શુદ્ધ-
સ્વરૂપના રુચિવંત ધર્માત્મા મુક્તિના પથિક છે, સંસારના પથિક નથી. બંધનથી
છૂટવાના પથિક છે, તેથી પુણ્યને પણ પાપ સમાન જાણીને છોડવા માગે છે.
જેને આત્માનો પવિત્ર ધર્મ પ્રગટ કરવો છે અને પૂર્ણાનંદસ્વરૂપ મોક્ષની જેને
ભાવના છે તેણે સર્વ પુણ્ય પાપ છોડવા યોગ્ય છે. તેની દ્રષ્ટિમાં આત્માનું જ્ઞાન હોય,
આત્માની રુચિ હોય, પુણ્યભાવની રુચિ ન હોય, તો જ તે સાચો મોક્ષાર્થી છે.
હવે યોગીન્દ્રદેવ કહે છે કે પુણ્યભાવ સુવર્ણની બેડી છે અને પાપભાવ લોખંડની
બેડી છે. બન્ને બેડી છે. બંધન કરાવનાર છે, મુક્તિ આપનાર નથી.
जह लोहम्मिय णियड बुह तह सुण्णम्मिय जाणि
जे सुहु असुह परिच्चयहिं ते वि हवंति हु णाणि ।। ७२।।
લોહબેડી બંધન કરે, સોનાની પણ તેમ;
જાણી શુભાશુભ દૂર કરે, તે જ જ્ઞાનીનો મર્મ. ૭૨
વનવાસી દિગંબર સંત કહે છે કે હે પંડિત! પાપભાવ લોખંડની બેડી અને
પુણ્યભાવ સોનાની બેડી છે એ બન્ને બંધનભાવથી રહિત અબંધ સ્વભાવી આત્માની
દ્રષ્ટિ કર તો તું સાચો પંડિત છો. પહેલાં તો સમજણમાં એમ લે કે પુણ્ય-પાપ બન્ને
બંધન છે, પછી તે બન્ને ભાવોનો ત્યાગ કર. શુભાશુભભાવની દ્રષ્ટિ છોડી પૂર્ણ શુદ્ધ
નિજસ્વરૂપમાં આવી જા! પુણ્ય ઠીક અને પાપ અઠીક એમ માનનાર તો મિથ્યાદ્રષ્ટિ જ
છે. પુણ્ય-પાપભાવમાં ચૈતન્યનું નૂર-તેજ નથી. બન્ને કર્મ જીવને સંસારમાં ફસાવનાર
છે. માટે મોક્ષાર્થીને ઉચિત છે કે તે બંને ભાવોને સંસારમાં બાંધનાર બેડી જાણીને તેની
રુચિ છોડીને મુક્તિનો ઉપાય કરે.
જેમ ક્રોધ-માન-માયા-લોભ, હિંસા, ચોરી આદિ અશુભભાવથી ઘાતિકર્મ બંધાય
છે તેમ શુભભાવથી પણ ઘાતિધર્મ બંધાય છે. ઘાતિકર્મમાં એકલી પાપ-પ્રકૃતિ જ છે.
અઘાતિકર્મમાં પુણ્યભાવથી અનુકૂળ સંયોગો મળે એવા શુભ કર્મો બંધાય છે અને
પાપભાવથી પ્રતિકૂળ સંયોગો પ્રાપ્ત થાય તેવાં અશુભ કર્મો બંધાય. પણ જ્ઞાનાવરણી,
દર્શનાવરણી આદિ ચાર ઘાતિકર્મોમાં તો શુભાશુભ બન્ને ભાવથી એકલો પાપ બંધ જ
પડે છે. આથી અતીન્દ્રિય આનંદનો સ્વાદ લીધો છે. એવા ધર્મી જીવને શુભભાવમાં
તથા તેના ફળમાં મળતાં પાંચ ઈન્દ્રિયના વિષયોમાં પણ રુચિ નથી. તેમાં સુખબુદ્ધિ
થતી નથી. કારણ પુણ્યપરિણામથી પણ આત્મઘાત જ થાય છે.
પુણ્યના ફળમાં પ્રાપ્ત થતાં વિષયોમાં ફસાઈ જવાથી અજ્ઞાની જીવો નરક નિગોદ
આદિમાં ચાલ્યા જાય છે. પરમાત્મપ્રકાશમાં યોગીન્દ્રદેવ જ લખે છે કે પુણ્યના ફળમાં
વૈભવ મળે અને