પરમાત્મા] [૧૪૧
વૈભવમાં અભિમાન થતાં પાપભાવ વડે જીવ નરકમાં ચાલ્યો જાય છે. પુણ્યના ફળમાં
દેવપદ મળે અને દેવમાંથી સીધો એકેન્દ્રિયમાં ચાલ્યો જાય. તૃષ્ણામાં દેવના વૈભવ
ભોગવવાની ઇચ્છા છે એવા મિથ્યાદ્રષ્ટિની આ વાત છે. પુણ્યના ફળ અને
ઇન્દ્રિયવિષયોને ભોગવવાની લોલુપતામાં દેવપર્યાયમાં પણ મિથ્યાદ્રષ્ટિજીવ દુઃખી છે અને
ત્યાંથી પાછો એકેન્દ્રિય આદિ હલકી પર્યાયમાં ચાલ્યો જાય છે. ૧૨માં સ્વર્ગ સુધીના દેવો
મરીને પશુ થાય છે, નવમી ગ્રૈવેયક સુધીના દેવો મરીને મનુષ્ય થાય છે અને ત્યાં પણ
તૃષ્ણારૂપી રોગથી પીડાય છે. “આત્મભ્રાંતિ સમ રોગ નહિ.” આત્માને ભૂલીને
ઇન્દ્રિયસુખ અને પુણ્યમાં પ્રીતિ રહેવી તે જ આત્મભ્રાંતિનો રોગ છે. તેના જેવો બીજો
મોટો કોઈ રોગ નથી.
પોતે ભગવાન હોવા છતાં બહારનાં સંયોગો-મકાન, સ્ત્રી પુત્ર, દૌલત આદિ જડ
વસ્તુઓ પાસે સુખની ભીખ માગે છે. તૃષ્ણારૂપી ક્ષય રોગ લાગુ પડયો છે, તેમાં
પીડાતો ઇન્દ્રિયવિષયો પાસે સુખની ભીખ માગે છે પણ પ્રતિકૂળતા, રોગ, નિર્ધનતા
આદિ દુઃખના સાધન મળવાથી જેવી આકુળતા થાય છે તેવી જ આકુળતા તુષ્ણારૂપી
રોગથી થાય છે. આ જીવે અનંતવાર દેવ, મનુષ્ય, મોટા રાજા આદિના વૈભવો પ્રાપ્ત
કર્યા પણ આ તૃષ્ણારોગ મટયો નહિ. કેમ કે આત્માના આનંદની રુચિ વિના તૃષ્ણાનો
દાહ શમન થઈ શક્તો નથી.
ધર્મીજીવ પાંચ ઇન્દ્રિયના વિષયોને હેય-છોડવા લાયક સમજે છે. તેથી
વિષયસુખના કારણભૂત પુણ્યધર્મને પણ હેય સમજે છે અને તેથી પુણ્યકર્મના કારણભૂત
શુભભાવને પણ જ્ઞાની હેય સમજે છે. તેથી વિરુદ્ધ, અજ્ઞાની જીવ ઇન્દ્રિયવિષયોમાં સુખ
માને છે તેથી તેના કારણ એવા પુણ્ય-કર્મના બંધનને પણ સુખરૂપ માને છે અને તેના
કારણભૂત શુભભાવને પણ સુખરૂપ અને ઉપાદેય માને છે. શુભાશુભભાવને જેણે અધિક
માન્યા છે તેણે આત્માને હીન માન્યો છે, તેને આત્મા પ્રત્યે પ્રેમ નથી પણ વિષયો અને
વિષયોના કારણ પ્રત્યે પ્રેમ છે.
શુદ્ધ ચિદાનંદ નિજ આત્માની રુચિવાળો અનુભવી જીવ ભલે પશુ હોય તોપણ
તેને આત્માનો અતીન્દ્રિય આનંદ છે, વાસ્તવિક સુખ છે. નાનું એવું દેડકું હોય કે ચકલી
હોય તે પણ આત્મા છે ને! તેને આત્માનો અનુભવ થઈ શકે છે. ભગવાનના
સમવસરણમાં તો સર્પ, સિંહ આદિ ક્રૂર હિંસક પ્રાણીઓ પણ જાય છે. ત્યાં જો આત્માની
દ્રષ્ટિપૂર્વક અનુભવ કરી લે તો તેને પણ અતીન્દ્રિય આનંદ પ્રગટે છે. કોઈ તો વિશેષ
લીનતા કરીને પાંચમું ગુણસ્થાન પણ પ્રગટ કરે છે. પછી એ રાત્રે ખોરાક કે પાણી ન
લે અને દિવસે પણ નિર્દોષ ખોરાક વનસ્પતિ આદિ મળે તો જ લે. આવા પશુ પણ
પોતાના શુદ્ધસ્વરૂપ સિવાય બીજા કોઈ વિષયોમાં આનંદ માનતા નથી. જ્યારે આત્માના
સ્વરૂપથી અજાણ મોટા શેઠિયા હોય તોપણ પુણ્ય-પાપના ભાવ અને તેના ફળમાં સુખ
માનીને આકુળતાને વેદે છે.
સમકિતીને તો નરકમાં પણ અતીન્દ્રિય આનંદ છે. “બાહિર નારકીકૃત દુઃખ
ભોગત, અંતર સુખરસ ગટાગટી.” આત્માના શુદ્ધ-ઉપયોગની દ્રષ્ટિને કારણે નરકના
અસહ્ય દુઃખની વચ્ચે પણ સમકિતીને સુખની ગટાગટી છે. આહાહા...! ક્યાં જ્ઞાની પશુ,
ક્યાં મિથ્યાદ્રષ્ટિ શેઠિયા! મિથ્યાદ્રષ્ટિદેવ નવમી ગ્રૈવેયકમાં પણ આકુળતા વેદે છે અને
સાતમી નરકમાં કોઈ