સાધન કરવામાં તમે સ્વતંત્ર છો-એમ કરીને જ્યાં અંતરમાં દ્રષ્ટિ કરે છે ત્યાં
અનુભવમાં અતીન્દ્રિય આનંદ પામે છે. આ અતીન્દ્રિય આનંદનું કારણ સ્વભાવની દ્રષ્ટિ
અને અનુભવ છે. અજ્ઞાનીને પુણ્યની રુચિ છે તેના કારણે સ્વર્ગમાં દૈવી સુખોની વચ્ચે
પણ તે એકલી આકુળતાને જ વેદે છે.
जइया तुहुं णिग्गथु जिय तो लब्भइ सिवपंथु ।। ७३।।
જ્યાં પામે નિર્ગ્રંથતા, ત્યાં પામે શિવપંથ. ૭૩.
તોડી, આત્મસંપદામાં એકત્વ કર્યું છે તેનું મન ખરેખર નિર્ગ્રંથ છે, અને હે જીવ! જો
તારું મન નિર્ગ્રંથ છે તો તેં મોક્ષપંથ પ્રાપ્ત કરી લીધો છે. બાહ્યમાં દ્રવ્યલિંગ પણ આવે
જ છે પણ જો તેં ભાવનિર્ગ્રંથ દશા પ્રાપ્ત કરી લીધી છે તો તું સમજ કે તું શિવપંથી થઈ
ગયો, બાહ્યમાં દ્રવ્યનિર્ગ્રંથ દશા હોય પણ ભાવનિર્ગ્રંથતા ન હોય તો મોક્ષમાર્ગ નથી
એમ અહીં બતાવવું છે.
છે. જ્યાં સુધી વસ્ત્રનું ગ્રહણ છે ત્યાં સુધી પરિગ્રહનો પૂરો ત્યાગ નથી. પણ પ્રથમ તો
અંતરંગમાં મનને ગ્રંથિરહિત કરવું જોઈએ. મનમાં દયા-દાનના વિકલ્પ ઊઠે છે તે પણ
રાગની ગાંઠ છે. તે ગાંઠને પ્રથમ ભેદી મનને નિર્ગ્રંથ બનાવ્યું છે તે મોક્ષમાર્ગી છે.
આત્મા વસ્તુ પોતે નિર્ગ્રંથ છે તો તેની દ્રષ્ટિ કરવાવાળો પણ ભાવથી નિર્ગ્રંથ છે. પણ
બહારમાં કેવળ દ્રવ્યથી નિર્ગ્રંથનો એક પણ ભવ ઓછો થાય તેમ નથી.
પરમ સંતોષી હોય અને એ ભાવનિર્ગ્રંથ જ્ઞાની જીવની આત્મરસની પિપાસા ઘણી હોય.
આવાં લક્ષણો યુક્ત હોય તે જ ભાવ-નિર્ગ્રંથ છે. એથી વિપરીત કોઈ જીવ બધો
બાહ્યપરિગ્રહ છોડી દે-સ્ત્રી, પુત્ર પરિવાર ત્યાગી જંગલમાં રહેવા લાગે પણ
અંતરપરિગ્રહ-રાગ-દ્વેષ-મોહનો ત્યાગ ન કરે તો તે નિર્ગ્રંથ નથી. તેને આત્મરસનો
લાભ પ્રાપ્ત થતો નથી. તે જીવ મોક્ષમાર્ગી નથી પણ સંસારમાર્ગી છે.