Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


Page 142 of 238
PDF/HTML Page 153 of 249

 

background image
૧૪૨] [હું
રાજા મરીને જાય ને ત્યાં યાદ આવી જાય કે સંતોએ અમને કહ્યું હતું કે સ્વભાવનું
સાધન કરવામાં તમે સ્વતંત્ર છો-એમ કરીને જ્યાં અંતરમાં દ્રષ્ટિ કરે છે ત્યાં
અનુભવમાં અતીન્દ્રિય આનંદ પામે છે. આ અતીન્દ્રિય આનંદનું કારણ સ્વભાવની દ્રષ્ટિ
અને અનુભવ છે. અજ્ઞાનીને પુણ્યની રુચિ છે તેના કારણે સ્વર્ગમાં દૈવી સુખોની વચ્ચે
પણ તે એકલી આકુળતાને જ વેદે છે.
હવે ૭૩ મી ગાથામાં યોગીન્દ્રદેવ ફરમાવે છે કે ‘ભાવનિર્ગ્રંથ જ મોક્ષમાર્ગી છે.’
जइया मणु णिग्गथु जिय तइया तुहु णिग्गथु ।
जइया तुहुं णिग्गथु जिय तो लब्भइ सिवपंथु ।। ७३।।
જો તુજ મન નિર્ગ્રંથ છે, તો તું છે નિર્ગ્રંથ;
જ્યાં પામે નિર્ગ્રંથતા, ત્યાં પામે શિવપંથ. ૭૩.
હે આત્મા! જો તેં મનમાં રાગની એકતા તોડી છે, મિથ્યાત્વની ગ્રંથિને ભેદી
નાખી છે અને શુદ્ધ આત્માની દ્રષ્ટિ કરી છે તો તારું મન નિર્ગ્રંથ છે રાગથી એકતા
તોડી, આત્મસંપદામાં એકત્વ કર્યું છે તેનું મન ખરેખર નિર્ગ્રંથ છે, અને હે જીવ! જો
તારું મન નિર્ગ્રંથ છે તો તેં મોક્ષપંથ પ્રાપ્ત કરી લીધો છે. બાહ્યમાં દ્રવ્યલિંગ પણ આવે
જ છે પણ જો તેં ભાવનિર્ગ્રંથ દશા પ્રાપ્ત કરી લીધી છે તો તું સમજ કે તું શિવપંથી થઈ
ગયો, બાહ્યમાં દ્રવ્યનિર્ગ્રંથ દશા હોય પણ ભાવનિર્ગ્રંથતા ન હોય તો મોક્ષમાર્ગ નથી
એમ અહીં બતાવવું છે.
શ્રદ્ધા-અપેક્ષાએ સમકિતી પણ ભાવનિર્ગ્રંથ છે. નિજ શુદ્ધસ્વભાવની પ્રીતિ, દ્રષ્ટિ
અને અનુભવ કરનાર સમકિતીને રાગ ઉપર પ્રીતિ નથી માટે તે ખરેખર ભાવનિર્ગ્રંથ
છે. જ્યાં સુધી વસ્ત્રનું ગ્રહણ છે ત્યાં સુધી પરિગ્રહનો પૂરો ત્યાગ નથી. પણ પ્રથમ તો
અંતરંગમાં મનને ગ્રંથિરહિત કરવું જોઈએ. મનમાં દયા-દાનના વિકલ્પ ઊઠે છે તે પણ
રાગની ગાંઠ છે. તે ગાંઠને પ્રથમ ભેદી મનને નિર્ગ્રંથ બનાવ્યું છે તે મોક્ષમાર્ગી છે.
આત્મા વસ્તુ પોતે નિર્ગ્રંથ છે તો તેની દ્રષ્ટિ કરવાવાળો પણ ભાવથી નિર્ગ્રંથ છે. પણ
બહારમાં કેવળ દ્રવ્યથી નિર્ગ્રંથનો એક પણ ભવ ઓછો થાય તેમ નથી.
ભાવનિર્ગ્રંથ જીવને અંતરનો પરિગ્રહ ન હોય. મનમાં રહેલ સર્વ રાગ-દ્વેષ
ભાવની મલિનતાને દૂર કરી હોય, સર્વ જીવ ઉપર સમતાભાવ તથા કરુણાભાવ હોય,
પરમ સંતોષી હોય અને એ ભાવનિર્ગ્રંથ જ્ઞાની જીવની આત્મરસની પિપાસા ઘણી હોય.
આવાં લક્ષણો યુક્ત હોય તે જ ભાવ-નિર્ગ્રંથ છે. એથી વિપરીત કોઈ જીવ બધો
બાહ્યપરિગ્રહ છોડી દે-સ્ત્રી, પુત્ર પરિવાર ત્યાગી જંગલમાં રહેવા લાગે પણ
અંતરપરિગ્રહ-રાગ-દ્વેષ-મોહનો ત્યાગ ન કરે તો તે નિર્ગ્રંથ નથી. તેને આત્મરસનો
લાભ પ્રાપ્ત થતો નથી. તે જીવ મોક્ષમાર્ગી નથી પણ સંસારમાર્ગી છે.
જેમ ચોખા ઉપરનું ફોતરું કાઢી નાખે પણ ચોખાની લાલાશ ન કાઢે તેને ચોખાનો