અંતરમાં શુદ્ધાત્માની દ્રષ્ટિ, અનુભવ ન કરે, સમદર્શી-સમતાભાવને પ્રાપ્ત ન થાય,
આત્મિક આનંદનો પિપાસુ ન બને અને રાગ-દ્વેષ-મોહરૂપી અંતરપરિગ્રહને ધારી રાખે
તો તેને મોક્ષનો લાભ પ્રાપ્ત થતો નથી, તે જીવ સાચો નિર્ગ્રંથ નથી. ભાવ-નિર્ગ્રંથ નથી,
દ્રવ્ય નિર્ગ્રંથ છે.
ચાલીને જ્ઞાની મોક્ષમાં પહોંચી જાય છે.
तं देहहं देउ वि मुणहि जो तइलोय–पहाणु ।। ७४।।
તેમ દેહમાં દેવ છે, જે ત્રિલોકપ્રધાન.
આત્મબીજમાં પરમાત્મશક્તિનું વડ પ્રગટ છે. શક્તિમાં પરમાત્મપણું હોય તો જ પર્યાયમાં
પ્રગટ થાય ને? ત્રણલોકમાં તારો આત્મા જ પ્રધાનદેવ છે. ભગવાન અરિહંત અને
સિદ્ધપ્રભુ પણ તારા માટે પ્રધાનદેવ નથી. તારું પરમાત્મપદ જ તારા માટે પ્રધાન છે.
પરમાત્મા જેમ પર્યાયે પૂર્ણ છે તેમ દરેક જીવ શક્તિએ પૂર્ણ છે. એમ પોતાની શક્તિનો
જ્યાં સુધી વિશ્વાસ ન કરે ત્યાં સુધી દ્રષ્ટિ સમ્યક્ ન થાય-સમ્યગ્દર્શન ન થાય.
ત્રિલોકપ્રધાન છે.
પર્યાયમાં વ્યાપેલો છે. આખા વડનાં મોટા વૃક્ષમાં મૂળ બીજ સર્વત્ર વ્યાપેલું છે. તેમ
ભગવાન આત્મા પોતામાં સર્વત્ર વ્યાપેલો છે. કેવળજ્ઞાન આદિ અનંત પર્યાયોનું બીજ
તો આત્મા છે માટે તું જ તારો દેવ છો.
આનંદ આદિ અનંત ગુણો બિરાજમાન છે તે જ મારે આરાધવા યોગ્ય છે.