શ્રાવકને હોય છે. અરે! ચોથા ગુણસ્થાનમાં પણ મુક્તસ્વરૂપ આત્માનું જ્યાં ભાન થાય છે
અને નિર્વિકલ્પ પ્રતીતિ થાય છે, તો શ્રાવકને તો બે કષાયનો નાશ થવાથી શાંતિ વિશેષ વધી
જાય છે. આ સ્વભાવના આશ્રયે પ્રગટ થયેલી શાંતિને અહીં શુદ્ધ નિશ્ચયરત્નત્રય કહેલ છે.
અંતર-બાહ્ય નિર્ગ્રંથદશા સાક્ષાત્ મોક્ષનો ઉપાય છે.
ચારિત્રનો દોષ છે અને ઈન્દ્રિય વિષયોમાં સુખ છે એમ માનવું તે મિથ્યાત્વનો દોષ છે.
સમ્યગ્દ્રષ્ટિને ત્રણકાળ ત્રણલોકમાં એક પોતાના આત્મા સિવાય ક્યાંય સુખબુદ્ધિ થતી
નથી. જ્યાં સુખ હોય ત્યાં સુખબુદ્ધિ હોય કે જ્યાં સુખ ન હોય ત્યાં સુખબુદ્ધિ હોય?
પોતાનો આનંદ તો પોતામાં છે, પુણ્ય-પાપ ભાવમાં પોતાનો આનંદ નથી-એવી શ્રદ્ધા
ધર્મીને પ્રથમ દ્રષ્ટિમાં જ થઈ જાય છે.
રહીને યથાશક્તિ આત્માનું મનન કરે છે. અંતરમાં વિશેષ સ્થિર થવાની શક્તિ ન હોય
અને બહારથી બધું છોડીને બેસી જાય તો પછી હઠથી પરિષહ આદિ સહન કરે, બોજો
વધી જાય. કેમ કે અંતર શક્તિ તો છે નહિ.
રાખજે. આસક્તિ ન છૂટે તો લગ્ન કરી લેજે પણ મિથ્યાદ્રષ્ટિ સાધુનો સંગ કદાપિ ન
કરીશ. કેમ કે લગ્ન કરવા તે ચારિત્રનો દોષ છે પણ મિથ્યાશ્રદ્ધાવંતના સંગમાં ચડવાથી
પોતાની શ્રદ્ધા મિથ્યા થઈ જાય તો તે શ્રદ્ધાથી જ ભ્રષ્ટ થઈ જાય.
પૂજ્ય ગુરુદેવ-અરે ભાઈ! તેનો અર્થ સમજવો જોઈએ. મુનિને તો વિવાહ આદિ
કરાવે નહિ અને કરતાને અનુમોદે નહિ. પણ અહીં તો મિથ્યાત્વથી બચવા માટે આ
વાત કહી છે. મિથ્યાદર્શનનું પાપ ચારિત્રદોષથી ઘણું મોટું છે. પણ લોકોને મિથ્યાદર્શનનું
પાપ અને સમ્યગ્દર્શનરૂપ ધર્મની શું કિંમત છે તેની ખબર જ નથી.
સાધુ હોય પણ તેના સંગથી સમકિતીની શ્રદ્ધા પણ વિપરીત થઈ જાય તો શ્રદ્ધાનો
મોટો દોષ લાગે છે. મૂલાચારમાં