ભગવાનની કેવળજ્ઞાનની દશા અને ક્યાં મુનિઓની પ્રચુર સ્વસંવેદનની દશા! તેની
પાસે મારી પર્યાયમાં તો બહુ કમી છે-હું પામર છું.
કે ‘ભગવાન! તું શુદ્ધ છો’ આ સાંભળી અમને પ્રચુર સ્વસંવેદન પ્રગટ થયું. કુંદકુંદ
આચાર્યે એમ ન લીધું કે અમારી પાત્રતા જોઈને ગુરુએ ઉપદેશ આપ્યો, પણ ગુરુએ કૃપા
કરીને ૧૨ અંગના સારરૂપ ‘તું શુદ્ધાત્મા છો’ એવો ઉપદેશ આપ્યો એમ લીધું.
છે અને જિનેન્દ્રદેવ, નિર્ગ્રંથ ગુરુ અને જિનવાણીની ગાઢ ભક્તિ કરે છે, સ્તુતિ, વંદના,
પૂજા, સ્વાધ્યાય પણ કરે છે. આ બધા શુભભાવ સહકારી નિમિત્ત છે એમ ધર્મી જાણે છે.
દશા પ્રગટ કરવી છે. રત્નકરંડ-શ્રાવકાચારમાં આવે છે કે ધર્મ ધર્મી વિના હોતો નથી.
તો જેને ધર્મી ઉપર પ્રેમ નથી તેને ધર્મ ઉપર પણ પ્રેમ નથી.
સમ્યગ્દર્શન પહેલાં નરક, તિર્યંચગતિનો બંધ થઈ ગયો હોય તો ત્યાં પણ સમભાવથી
દુઃખ સહન કરી લે છે. સમ્યગ્દ્રષ્ટિને ‘બાહિર નારકીકૃત દુઃખ ભોગત, અંતર સુખરસ
ગટાગટી.’ જેટલો કષાયભાવ છે તેટલું જ્ઞાનીને દુઃખ થાય છે પણ તેને ગૌણ કરીને
અતીન્દ્રિય સ્વભાવની મુખ્યતાથી આનંદને વેદે છે તેથી જ સમ્યગ્દ્રષ્ટિ નરકમાં હોય
તોપણ સુખી છે અને મિથ્યાદ્રષ્ટિ નવમી ગ્રૈવેયકમાં હોય તોપણ દુઃખી છે.
બંધાતા નથી. સમ્યગ્દ્રષ્ટિને પૂર્ણાનંદ સ્વભાવની જ મુખ્યતા હોવાથી સમ્યગ્દર્શન સૂર્ય
ઊગ્યો હોવાથી અવ્રતી હોવા છતાં એવા પાપ નથી બાંધતો કે જેથી તે નારકી, તિર્યંચ,
સ્ત્રી, નપુંસક થાય કે નીચ ગતિ આદિ દશાને પ્રાપ્ત થાય.