માર્ગે જવાનો સમય કાઢીને સામાયિકનો અભ્યાસ કરે છે.
અજ્ઞાની રાગ આકુળતાસ્વરૂપ છે એમ મીંઢવણી-મેળવણી કરી શકતા નથી. તેથી
આકુળતાને જ એટલે કે રાગને જ પોતાનું સ્વરૂપ માને છે.
અહીં યોગીન્દ્રદેવે તત્ત્વાનુશાસનના શ્લોકનો આધાર આપ્યો છે કે જેને આત્માના
ધર્મધ્યાનમાં આનંદનો અનુભવ થયો નથી તે મૂર્ચ્છાવાન અને મોહી છે, કયાંક મૂર્ચ્છાઈ
ગયો છે, તેથી આત્માનો આનંદ આવતો નથી.
અહીં કહે છે કે પરમાત્મા આનંદની મૂર્તિ છે તેનું ધ્યાન કરે છે પણ આનંદ નથી
આવતો તો સમજી લેવું કે તે કયાંક મૂર્ચ્છાઈ ગયો છે. ક્યાંક પુણ્ય-પાપના પ્રેમમાં
મૂર્ચ્છાઈ ગયો છે. જો ન મૂર્ચ્છાયો હોય તો ધ્યાન કરે અને આનંદ કેમ ન આવે? આવે
જ. જે આત્માનું દર્શન, જ્ઞાન અને રમણતા કરે છે, એકાગ્રતા કરે છે, તેને વચનગોચર
એવો આત્મિક આનંદ આવે જ છે.
હવે કહે છે કે આત્મધ્યાન પરમાત્માનું કારણ છે.
रूवातीतु मुणेहि लहु जिम परु होहि पवित्तु ।। ९८।।
જાણી ધ્યાન જિનોક્ત એ, શીઘ્ર બનો સુપવિત્ર. ૯૮.
(૧) પિંડસ્થ એટલે શરીરમાં રહેલા આત્માનું ધ્યાન કરવું તે, (૨) પદસ્થ
રૂપસ્થ એટલે અરિહંત પરમાત્માનું ધ્યાન કરવું તે અને (૪) રૂપાતીત એટલે રૂપથી
રહિત સિદ્ધ ભગવાનનો વિચાર કરી અંતરમાં જવું તે. આ ચાર પ્રકારના ધ્યાન દ્વારા
સ્વરૂપમાં એકાગ્ર થતાં જીવ અલ્પકાળમાં સિદ્ધ થઈ જાય છે. પરમાત્મપદને પ્રાપ્ત
કરવાની આ કળા છે.