Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


Page 218 of 238
PDF/HTML Page 229 of 249

 

background image
૨૧૮] [હું
તે તન્મય થઈ જાય છે, ભગવાન આત્મા આનંદસ્વરૂપ અને પૂરણજ્ઞાન સ્વરૂપ એવા
ભાવથી ને એવા સ્વરૂપથી તેનું ધ્યાન કરે છે તો તે દશા તે ભાવમાં તન્મય થઈ જાય
છે. ભગવાન આત્મા પૂરણ શુદ્ધ આનંદસ્વરૂપ છે અને જ્ઞાનની મૂર્તિ છે એવા ભાવથી
ને એવા રૂપથી જે આત્માને ધ્યાવે છે ત્યારે તે વર્તમાનદશા ત્રિકાળભાવ સાથે તન્મય
થઈ જાય છે.
* કોઈ અતિ નિંદ્રાવશ મનુષ્યને તેના મર્મસ્થાન
ઉપર મુદગરની ચોટ મારે, અથવા અગ્નિના આતાપથી
દેહને જરા ઉષ્ણતા લાગે, અથવા ક્યાંય વાજિંત્રોના અવાજ
સાંભળે તો તે તુરત જાગૃત થઈ જાય છે. પરંતુ અવિવેકી
જીવને તો પાપ કર્મફળના ઉપરા ઉપરી ઉદયરૂપ મુદગરના
માર મર્મસ્થાન ઉપર પડયા કરે છે. મહાદુઃખરૂપ ત્રિવિધ
તાપથી તેનો દેહ નિરંતર બળી આજ આ મર્યો, કાલ આ મર્યો,
ફલાણો આમ મર્યો અને ફલાણો તેમ મર્યો, એવા
યમરાજના વાજિંત્રોના ભયંકર શબ્દો વારંવાર સાંભળે છે,
છતાં એ મહા અકલ્યાણકારક અનાદિ મોહનિંદ્રાને જરાય
વેગળી કરી શક્તો નથી, એ પરમ આશ્ચર્ય છે.
(શ્રી આત્માનુશાસન)