सो सामइउ जाणि फुडु जिणवर एम भणेइ ।। ९९।।
તે સામાયિક જાણવું, ભાખે જિનવરરાય.
જ્ઞાનમય છે એમ જોતાં સમભાવ પ્રગટ થાય છે.
જીવને જ્ઞાનમય ન દેખતાં કર્મના વશે તેની થયેલી વિવિધ પર્યાયને દેખીને ઠીક-અઠીક
બુદ્ધિ કરતો હતો તેનો અભાવ થાય છે. જ્ઞાનાવરણીને આધીન જ્ઞાનનું ઓછા-વધતાપણું
હોય, દર્શનાવરણીને આધીન દર્શનનો ક્ષયોપશમ ઓછો-વધારે હોય, મોહનીયને આધીન
મિથ્યાભ્રાંતિ અને રાગાદિ હોય અને અંતરાયને આધીન થતાં પોતાને વિકાર આદિ
દેખાય, આયુષ્ય કર્મને આધીન દીર્ઘ કે થોડું આયુષ્ય હોય, નામકર્મને આધીન સુડોળ કે
બેડોળ શરીર દેખાય, ગોત્ર કર્મને આધીન ઊંચ-નીચ દશા દેખાય પણ તે તો બધી
પર્યાય છે. વેદનીયને આધીન શાતા-અશાતાનો ઉદય દેખાય પણ તે તો બધો સંયોગ
છે, તે માત્ર જાણવા લાયક છે.
બુદ્ધિ થતી નથી, આ શેઠ છે અને આ ગરીબ છે એમ જોયું તે તો વેદનીય કર્મને
આધીન મળેલાં સંયોગોને જોવાની વાત છે, એવી સંયોગ આધીન દ્રષ્ટિ ન કરતાં
સ્વભાવદ્રષ્ટિથી બધાને જ્ઞાનમય જોનારા જ્ઞાનીને આ ઠીક છે અને આ અઠીક છે-એવા
રાગ-દ્વેષ થતાં નથી.
વધતાંપણાની પણ વાત નથી. સર્વ જીવ જ્ઞાનમય છે તેમ હું પણ જ્ઞાનમય ચૈતન્યબિંબ
સ્વરૂપ છું એવી દ્રષ્ટિ