પરિણમી જાય છે.
આત્માના મોક્ષ માટે આત્માની શ્રદ્ધા, જ્ઞાન અને અનુભવ જ મોક્ષમાર્ગ છે. ઉપાદાન
પોતે જ કાર્યરૂપે પરિણમી જાય છે. સાથે નિમિત્ત-વ્યવહાર હોય છે તેની ના નથી પણ
તેનું લક્ષ છોડે-આશ્રય છોડે, ત્યારે જ મોક્ષમાર્ગની શરૂઆત છે.
તેમ સિદ્ધપણાની પર્યાયની સીધી સડક આત્માની શ્રદ્ધા-જ્ઞાન અને શાંતિપૂર્વક અનુભવ
કરવો તે છે. મોક્ષમહેલના પૂર્ણકાર્ય સુધી કારણ ચાલ્યું જાય છે.
છે. આ બધાં દ્રષ્ટાંતો સિદ્ધાંતને સિદ્ધ કરવા માટે દેવાય છે.
આ સિવાય બીજી કોઈ સડક જ નથી ગલી પણ નથી.
શ્રોતાઃ- તો પછી ભગવાનની ભક્તિ કરે કોણ?
પૂજ્ય ગુરુદેવઃ- જ્યાં સુધી વીતરાગ થાય નહિ ત્યાં સુધી પૂર્ણાનંદના આશ્રયની
શુભભાવ આવ્યા વગર રહેતો નથી એમ કહેવાય પણ ખરેખર તો તે કાળે તે શુભભાવ
આવ્યા વગર રહેતો નથી-એવી જ વસ્તુસ્થિતિ છે.
જુઓ તો ઉત્પાદ-વ્યય તે ધ્રુવનું પરિણમન છે. દ્રવ્યદ્રષ્ટિથી દ્રવ્ય પરિણમતું નથી. તેથી જ
તેને સદ્રશ કહ્યું છે એટલે જેવું છે તેવું જ ત્રિકાળ રહે છે. પરિણમે છે તે પર્યાય છે. દ્રવ્ય
તો અપરિણામી છે, પર્યાય તેનું લક્ષ કરે છે. અનિત્ય પર્યાય વડે ધ્રુવનું લક્ષ થાય છે.
વ્યવહારનયની અપેક્ષાએ છે. પારિણામિક સ્વભાવ છે તે તો ત્રિકાળ એકરૂપ છે, તેમાં
કાંઈ ઓછું નથી, વિશેષ નથી, ભેદ નથી અને પરિણમન પણ નથી પણ તેનું લક્ષ
પર્યાયથી થાય છે. લક્ષ કરનાર પર્યાય છે અને લક્ષ દ્રવ્યનું છે. આમ સદ્રશ વસ્તુ તે
નિશ્ચયનયનો વિષય છે. વિસદ્રશ