રહે! ભગવાન આત્મા-હું પોતે દ્રવ્યે પરમેશ્વરસ્વરૂપે જ છું-એમ જ્યાં પરમેશ્વરસ્વરૂપનો
વિશ્વાસ આવ્યો તો તું વીતરાગ થયા વિના રહીશ જ નહિ. દ્રષ્ટિમાં વીતરાગ થયો તે
સ્થિરતાએ વીતરાગ થઈને અલ્પકાળમાં કેવળજ્ઞાન લેશે.-એમ અહીં વાત કરે છે. અરે!
અમે ક્યારે વીતરાગ થઈશું? શું થશે?-એ બધી લપ મૂક ને! તું વીતરાગ પરમાત્મા
છો જ! આખો ભગવાન આત્મા જિનેશ્વર જેવો પૂર્ણાનંદ પરમાત્મા છે જ, બધા એવા
ભગવાન છે હો!-એને તું જો ને ભાઈ! અલ્પજ્ઞતા ને રાગ એ કાંઈ આત્મા છે? એ
તો વ્યવહાર-આત્મા છે. જે આત્મા છે એ તો અલ્પજ્ઞતા, રાગ ને નિમિત્ત વિનાનો છે,
એની સામું જો ને!
ક્રિયા લોકોને બતાવું-એ બધી માયાચારી છોડી દે! રાગની ક્રિયા કરીને હું સાધુ છું એમ
લોકોને તારે બતાવવું છે?
યેહી વચનસે સમજ લે જિન-વચનકા મરમ.
આહાહા! ભગવાન એને મોટો કહેવા જાય ત્યાં આ ભાઈ સા’બ કહે ના...
મોટો કહીને પૈસા લૂંટી લે-ફાળો ઉઘરાવી લે, તેમ ભગવાને તને મોટો ઠરાવીને શું કરવું
હશે?-કે તારી પામરતા લૂંટવી છે! કંઈ તારા પૈસા લૂંટવા નથી હો! !
ફેર ન દેખતો, સિદ્ધાંતના સારને માયાચાર રહિત થઈને પામી જાય છે.
મળવાથી કે વાણીના ઉપદેશ દ્વારા મોટપ માનવી છોડી દે! એ તો માયાચાર છે, એને
મૂકને પડતી! તારી મોટપ તો અંદર પ્રભુ પ્રભુતાથી બિરાજે છે તેમાં છે, તેના શરણમાં
જતાં શાંતિ ને વીતરાગતા પ્રગટ થશે.
પરમાત્મા સમાન છે એવું અંતરમાં જાણીને ઠરે તેને મોટપનો લાભ મળે છે, બાકી બધું
ધૂળધાણી છે! માટે વિકલ્પની જાળ દ્વારા ને શરીરની સ્થિતિ દ્વારા મોટપ ન માનીશ,
એનાથી મોટપ