પ૦૦-પ૦૦ સાધુઓના ઉપરી-મોટા કરીને અમને પદવી આપી છે-એવાથી મોટપ
માનવી રહેવા દે!-એમ આ ર૧મી ગાથામાં કહ્યું.
એમ નક્કી કર. ભગવાન! તમે પરમાત્મા છો એટલું તો અમને નક્કી કરવા દ્યો! -કે
એ નક્કી ક્યારે થશે?-કે જ્યારે તું પરમાત્મા છો એવો અનુભવ થશે ત્યારે આ
પરમાત્મા છે એવો વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચયનું નક્કી થયા વિના વ્યવહાર નક્કી
થશે નહિ. તે વાત કહે છેઃ- -
इउ जाणेविणु जोइया अण्णु म करहु वियप्पु ।। २२।।
એમ જાણી હે યોગીજન! કરો ન કાંઈ વિકલ્પ. રર.
પરમાત્મા છું એમ દ્રષ્ટિમાં લે.
કહે છે. ક્યાં સુધી તારે શાસ્ત્રની ચર્ચાઓ લખવી છે? શાસ્ત્રમાં આ કહ્યું છે, આ
શાસ્ત્રમાં આ કહ્યું છે ને આ શાસ્ત્રમાં કહ્યું છે-એ તો બધી વિકલ્પની જાળ છે.
ભાગમાં અનંત ગુણનો પિંડલો પૂર્ણાનંદ સ્વરૂપ પ્રભુ પરમાત્મા ભગવાન તે જ હું છું-
એમ અંતરમાં અનુભવમાં લાવ અને એનો અનુભવ કર એ જ તારા લાભમાં છે,
બાકી બધાં વિકલ્પો, શાસ્ત્રની ચર્ચા ને વાદવિવાદ એ કાંઈ તારા લાભમાં નથી-એમ
અહીં કહે છે.
નહિ. ભગવાન ચિદાનંદ પ્રભુ બિરાજી રહ્યો છે ને તું વ્યવહાર-રાંકાઈથી પરમેશ્વર છો?
ભિખારી પરમેશ્વર બનાવે? વ્યવહારનો રાગ ભિખારી-રાંક છે, નાશ થવાને લાયક છે,
એ પરમેશ્વરપદને