કરે તો એ પરિભ્રમણ કરે; કર્મના લઈને કાંઈ પરિભ્રમણ કરતો નથી.
છે, ભાવ અનંત ભર્યા છે. ક્ષેત્ર નાનું માટે માલ થોડો એવું કાંઈ નથી. જેમ આંખનું
ક્ષેત્ર નાનું છતાં ડૂંગર ઉપરથી કેટલા માઈલનું દેખી શકે છે? તેમ અસંખ્ય પ્રદેશી
ભગવાન આત્મા પોતાની-સત્તામાં રહીને અનંત ક્ષેત્રને જાણે એવી એના સ્વભાવની
સામર્થ્યતા છે. માટે એ ભગવાન આત્માને અંતરમાં જો, તારું ઘર અસંખ્ય પ્રદેશી છે,
શરીર-મન-વચન કે કર્મ એ તારું ઘર નથી. અરે! પરમાત્મા જિનેશ્વરદેવથી પણ તારું
ઘર જુદું છે.
एहउ अप्प–सहाउ मुणि लहु पावहि भव–तीरु ।। २४।।
એવો આતમ અનુભવો, શીઘ્ર લહો ભવપાર. ર૪.
ચાલી આવે છે. આત્મા પોતાના સ્વભાવને પ્રાપ્ત કરે ને ભવનો અભાવ કરે એ નવી
વાત છે, બાકી ભવ પ્રાપ્ત કરે ને સંસારમાં રખડે એ તો અનાદિનો સંસારભાવ છે, તેમાં
નવું શું કર્યું? તેથી અહીં કહે છે કે શીઘ્ર લહો ભવપાર.
છે એમ વાત નથી, પણ લોકના જેટલા અસંખ્ય પ્રદેશ છે એટલા અસંખ્ય પ્રદેશી
ભગવાન આત્મા નિશ્ચયથી છે. એ અસંખ્ય પ્રદેશી ભગવાન આત્મા કર્મમાં, શરીર-
પરમાણુમાં કે રાગમાં પણ આવતો નથી.
એનું પહોળું ક્ષેત્ર છે. આ શરીરપ્રમાણે અસંખ્ય પ્રદેશમાં આત્મા છે. જેમ પાણીનો કળશ
હોય તેમાં અંદર પાણીનો આકાર ને એનું સ્વરૂપ કળશના આકારે હોવા છતાં પાણીનું