પરમાત્મા] [પ૭
[પ્રવચન નં. ૧૦]
જો તને પૂર્ણાનંદની પ્રાપ્તિરૂપી મોક્ષની ઈચ્છા હોય તો,
રાત–દિવસ એક નિજ પરમાત્માનું જ મનન કર
[શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી, તા. ૧૬-૬-૬૬]
શ્રી યોગીન્દ્રદેવ કૃત આ યોગસાર શાસ્ત્ર છે. તેમાં આપણે ર૩ મી ગાથા ચાલી
રહી છેઃ- -
सुद्ध–पएसहं पूरियउं लोयायास–पमाणु ।
सो अप्पा अणुदिणु मुणहु पावहु लहु णिव्वाणु ।। २३।।
શુદ્ધ પ્રદેશી પૂર્ણ છે, લોકાકાશ પ્રમાણ;
તે આતમ જાણો સદા, શીઘ્ર લહો નિર્વાણ. ર૩.
ભગવાન આત્મા આ દેહમાં પોતાના શુદ્ધ અસંખ્ય પ્રદેશમાં રહેલો છે. આત્મા
અસંખ્ય પ્રદેશી છે; એક પરમાણુ આકાશના જેટલા ક્ષેત્રને રોકે તેટલા ક્ષેત્રને એક પ્રદેશ
કહે છે, એવા શુદ્ધ અસંખ્ય પ્રદેશી આત્મા છે તેથી તે પરિપૂર્ણ છે. દેહ-વાણી-મન-કર્મ
ને વિકારનું ક્ષેત્ર જુદું છે. અસંખ્ય પ્રદેશી પરિપૂર્ણ પ્રભુ અસંખ્ય પ્રદેશમાં રહેલો છે.
અસંખ્ય પ્રદેશમાં અનંત ગુણોથી ભરેલો પરિપૂર્ણ છે, એવા આત્માને આત્મા જાણ અને
એવા આત્માનું દિન-રાત મનન કર.
અસંખ્ય પ્રદેશમાં અહીં જ બિરાજમાન ભગવાન આત્માનું દિન-રાત મનન કરો.
ભગવાન આત્મા લોકવ્યાપક નથી પરંતુ તેનું ક્ષેત્ર અહીં પરિપૂર્ણ શુદ્ધ અસંખ્ય પ્રદેશમાં
જ પૂરું છે, એનાથી વધારે લાંબુ બીજું કોઈ ક્ષેત્ર નથી. કોઈ લોકવ્યાપક કહે ને કોઈ
અનંતમાં અનંત ભળી જાય કે બધા આત્મા એકના અંશરૂપ છે-એમ નથી. ભગવાન
આત્મા અસંખ્ય પ્રદેશોમાં પરિપૂર્ણ ભરેલો છે. એવા આત્માનું દિન રાત મનન કરો
એટલે કે તેનો અનુભવ કરો.
આત્મા અનંત ગુણનો પિંડ, અસંખ્ય પ્રદેશી, તેને અનુસરીને રાત-દિન અનુભવ
કરવો, આત્માની શાંતિનું વેદન કરવું-એનું નામ ધર્મ ને મોક્ષમાર્ગ છે. ભગવાન આત્મા
અસંખ્ય પ્રદેશના પૂરથી ભરેલો પૂરો છે, તેનો અનુભવ કરવાથી શીઘ્ર નિર્વાણને પ્રાપ્ત
કરો એટલે કે આ ઉપાય દ્વારા શીઘ્ર નિર્વાણને પ્રાપ્ત કરો; એ સિવાય મન-વચનની
ક્રિયા આદિ બીજા કોઈ ઉપાય વડે નિર્વાણ પ્રાપ્ત થાય તેમ નથી.
પોતાના સ્વરૂપને ભૂલે તો બંધ થાય છે ને પોતાના સ્વરૂપની સાવધાની કરે તો
મુક્તિ થાય છે, એ સિવાયની બીજી બધી તો વાતો છે! પોતાનો અસંખ્ય પ્રદેશી અનંત
ગુણોથી