સિદ્ધ સમાન ભગવાન આત્મા છે, તેની એકાગ્રતારૂપ મનન તે એક જ મોક્ષનો માર્ગ
છે, બીજો કોઈ મોક્ષનો માર્ગ છે નહિ તેમ હવેની ગાથામાં કહે છેઃ-
सो अप्पा अणुदिणु मुणहु जइ चाहहु सिव–लाहु ।। २६।।
એ આતમ જાણો સદા, જો ચાહો શિવલાભ. ૨૬.
પૂરણ દશાનું નામ મોક્ષ; એવી મોક્ષની દશા જો ચાહતા હો તો રાત-દિન શુદ્ધ
નિર્મળાનંદ પરમાત્માનું ધ્યાન કર; અરે ભગવાન! તું મોટો મહા શુદ્ધ ચૈતન્યપ્રભુ છો,
તેનું દિન-રાત ધ્યાન કર ને!
છે-એનું મનન કર. રાગનું પુણ્યનું કે વ્યવહારનું મનન છોડી દે-જો તારે મુક્તિનો લાભ
જોઈતો હોય તો. બાકી તો ૮૪ ના ગોથા તો અનંત કાળથી ખાધા જ કર્યા છે. પરંતુ
આત્માની શાંતિની પૂરણ પ્રાપ્તિરૂપ જે મુક્તિ એનો લાભ જોઈતો હોય તો શુદ્ધ
નિજાત્માનું મનન કર.
રાગ ને પુણ્યના મનનથી પ્રભુ પ્રગટે એવો નથી. દયા દાન ને વ્રત-જપના પરિણામે
પ્રભુ પ્રગટે એવો નથી. નિર્વિકલ્પ નાથ સચ્ચિદાનંદ પ્રભુ પૂર્ણાનંદનો નાથ પૂરણ અનંત
ગુણથી ભરેલું જે તત્ત્વ છે તેનું મનન કર તો તેની પ્રાપ્તિ થશે. અનુકૂળ નિમિત્ત હોય
તો ઠીક-એવું મનન રહેવા દે ભાઈ, રહેવા દે! આવા નિમિત્ત હોય તો ઠીક, આવા શુભ
ભાવ હોય તો ઠીક, આવા કષાયની મંદતાના પરિણામ હોય તો ઠીક-એ બધું તો રાગનું
મનન તેં કર્યું, એવું મનન તો તેં અનાદિ કાળથી કર્યું છે ને એનાથી સંસાર અનાદિનો
ફળે છે પણ હવે તારે મુક્તિ કરવી છે કે પછી ૮૪ માં રખડવું છે?
શુદ્ધ પ્રભુ છે, તેનું એકનું જ મનન ને એકાગ્રતા કર તો તને કેવળજ્ઞાન ને મુક્તિનો
લાભ થશે.