ગાથામાં નિશ્ચય ને વ્યવહાર સાથે કહ્યા હતા. એટલે કે જ્યાં નિર્મળ આત્માના શ્રદ્ધા-
જ્ઞાન ને શાંતિ હોય ત્યાં નિમિત્તરૂપે વ્રતાદિ હોય છે. છતાં તે વ્રતાદિ મોક્ષમાર્ગ નથી.
તથા ર૮મી ગાથામાં, આ ત્રિલોક પૂજ્ય જિનસ્વરૂપી આત્મા ત્રણ લોકમાં આદરણીય છે
ને મોક્ષનું કારણ છે એમ આવ્યું હતું.-આમ કહીને હવે તેનું ફળ બતાવે છેઃ-
बे छंडिवि अप्पा मुणइ तो लब्भइ सिववासु ।। ३र।।
બે તજી જાણે આત્મને, તે પામે શિવવાસ. ૩ર.
નિવાસ’-પાપથી નરકમાં નિવાસ થાય છે-આમ પુણ્ય ને પાપ-બેય દુઃખરૂપ એવા
સંસારના કારણ છે. ‘બે તજી જાણે આત્માને’-શુભાશુભ ભાવને તજીને એટલે કે તેની
રુચિને છોડીને-તેનો આશ્રય છોડીને જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની સન્મુખ થઈને તેનો
આશ્રય લે તો શિવવાસ પામે. અર્થાત્ પુણ્ય-પાપને છોડીને આત્માનો અનુભવ કરે તો
મુક્તિ થાય.
ઉપાદાન-આત્માના શ્રદ્ધા-જ્ઞાન-શાંતિ હોય ત્યાં તેવા ભાવને નિમિત્ત કહેવાય છે. પણ
જ્યાં ઉપાદાન ન હોય ત્યાં નિમિત્ત કેમ કહેવાય? તો અહીં કહ્યું કે દયા, દાન, પૂજા,
ભક્તિ ને વ્રતાદિના પરિણામથી જીવ સ્વર્ગમાં જાય છે ને હિંસા, જૂઠું, ચોરી આદિ
પાપના પરિણામથી નરકમાં જાય છે. પરંતુ તે બેયને છોડે તો શિવમહેલમાં જાય.
શિવમહેલ એટલે આત્માની મુક્તદશા-પરમાનંદરૂપી દશા અને તે પુણ્ય-પાપ છોડીને
આત્માનો અનુભવ કરે તો થાય. પણ પુણ્યની ક્રિયાથી કાંઈ મુક્તિ થતી નથી.