અન્ય દર્શનમાં ક્યાંય હોતું નથી અને છતાં એક સમયમાં છ દ્રવ્ય જણાય તે છ દ્રવ્યનો
નિષેધ ને એક સમયની પર્યાય જાણે તેનો નિષેધ! આહાહા! એક સમયમાં અભેદ
જ્ઞાન કરવા લાયક છે પણ આશ્રય કરવા લાયક નથી, પણ એને જાણવા લાયક છે.
શુદ્ધ છે, તેનો આશ્રય કરવાથી સમ્યગ્દર્શન થાય છે. બહુ ન્યાયથી વાત મૂકેલ છે. હવે
કહે છે કે--
જાણી જેને મુનિવરો, શીઘ્ર લહે ભવપાર.
આત્મા સચેતન છે. સર્વજ્ઞસ્વભાવી આત્મામાં ચેતનભાવ છે. પહેલાં વ્યવહારનું જ્ઞાન
કરાવ્યું પણ હવે જેમાં ચેતનપણું ભર્યું છે, એટલે કે જેમાં જ્ઞસ્વભાવ-સર્વજ્ઞસ્વભાવ ભર્યો
પણ આખો આત્મા કે જેમાં સર્વજ્ઞપદ પડયું છે તેને જાણવાની તાકાત જ્ઞાનમાં છે,
જાણનારી જ્ઞાનની દશા છે. પણ એવી અનંતી જ્ઞાનદશાઓનો ચેતનપિંડ એકલો આત્મા
અને સચેતન છે. બીજા આત્માઓ ભલે સચેતન હો પણ તારા માટે સચેતન નથી.
તારા સિવાયના બધા ચેતન આ આત્મામાં ક્યાંય નથી. બીજા પાંચ દ્રવ્યમાં જ્ઞાન નથી
ભગવાન આત્મા સાર છે, સ્વરૂપની એકતા કરવી તે યોગસાર છે. ભગવાન આત્માનો
ચેતન સ્વભાવ તે તેનો સાર છે. આ તો મુનિઓની મસ્તીની વાત છે. જાણનાર,
કલ્યાણ નહીં થાય. જાણ એટલે અનુભવ કર. તેને જાણીને અલ્પકાળમાં મુનિઓ, સંતો,
ભવનો પાર પામી જાય છે. સંસારનો અંત લાવવાનો ઉપાય ભગવાન આત્માનો
વિકલ્પો આવે તે મુક્તિનો ઉપાય નથી.
સમાધાનઃ-શી રીતે દેખવું? આંખ ઉઘડે તો દેખાય ને? જેમ ઓરડામાં એક જ