Ishtopdesh (Gujarati).

< Previous Page   Next Page >


Page 21 of 146
PDF/HTML Page 35 of 160

 

background image
કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૨૧
इत्यादिअतो ज्ञायते ऐन्द्रियंकं सुखं वासनामात्रमेव, नात्मनः
स्वाभाविकानाकुलत्वस्वभावम् कथमन्यथा लोके सुखजनकत्वेन प्रतीतानामपि भावानां
दुःखहेतुत्वम् ? एवं दुःखमपि ।।
इन सबसे मालूम पड़ता है, कि इन्द्रियोंसे पैदा होनेवाला सुख वासनामात्र ही है
आत्माका स्वाभाविक एवं अनाकुलतारूप सुख वासनामात्र नहीं है, वह तो वास्तविक है
यदि इन्द्रियजन्य सुख वासनामात्र-विभ्रमजन्य न होता, तो संसारमें जो पदार्थ सुखके पैदा
करनेवाले माने गये हैं, वे ही दुःखके कारण कैसे हो जाते ? अतः निष्कर्ष निकला कि
देहधारियोंका सुख केवल काल्पनिक ही है और इसी प्रकार उनका दुःख भी काल्पनिक
है
।।।।
તેથી જણાય છે, કે ઇન્દ્રિયજનિત સુખ વાસનામાત્ર જ છે; તે આત્માનું સ્વાભાવિક
અનાકુલ સ્વભાવવાળું નથી, નહિ તો સંસારમાં જે પદાર્થો સુખજનક માનવામાં આવે છે
તે દુઃખનું કારણ કેમ બને? એમ તે (ઇન્દ્રિય
સુખ) પણ દુઃખ જ છે.
ભાવાર્થ :અજ્ઞાની જીવોને જે સુખદુઃખ હોય છે, તે ઇન્દ્રિયજનિત છે
વાસનામાત્ર જ છે.
‘દેહાદિ પદાર્થો મને ઉપકારક છે, માટે ઇષ્ટ છે અને તેઓ મને અપકારક
અહિતકારક છે (એમ કોઈક વાર માને છે), માટે અનિષ્ટ છે’એવી વિભ્રમરૂપ કલ્પનાથી
ઉત્પન્ન થયેલો સંસ્કાર તે વાસના છે.
અજ્ઞાની જીવ, આવી વાસનાના કારણે ભોગોના નિમિત્તે ઉત્પન્ન થયેલા ઇન્દ્રિયજનિત
સુખમાં ભ્રમથી વાસ્તવિક (સાચા) સુખની કલ્પના કરે છે.
આ ભોગો રોગ સમાન છે. તેઓ દુઃખના સમયે રોગોની જેમ આકુલતાઉદ્વેગતાનાં
નિમિત્ત થાય છે. કોઈ કારણથી મન દુઃખી હોય અર્થાત્ ચિત્તક્ષોભ હોય, તો સુંદર ભોગો
પણ ઉદ્વેગકારક લાગે છે; તેઓ અસહ્ય લાગે છે. ભૂખતરસથી પીડાતા મનુષ્યને સુંદર મહેલ,
ચંદન, ચંદ્રનાં કિરણ, યુવતીઓ વગેરે સુંદર પદાર્થો પણ દુઃખકર લાગે છે.
ઇન્દ્રિયજન્ય સુખ વાસનામાત્ર અથવા કલ્પનાજનિત છે. તે આત્માનું સ્વાભાવિક
અનાકુલરૂપ સુખ નથી, પણ વાસ્તવમાં તે દુઃખ જ છે, તેથી તેમાં વાસ્તવિક સુખની કલ્પના
કરવી વ્યર્થ છે.
જો ઇન્દ્રિયજન્ય સુખ વાસનામાત્રવિભ્રમજન્ય ન હોય તો આ સંસારમાં જે પદાર્થ
કયારેક સુખદાયક મનાય છે, તે જ ક્યારેક દુઃખદાયક કેમ મનાય? તેથી અજ્ઞાની જીવોનું
સુખ
દુઃખ કેવળ વાસનામાત્ર છે, બન્ને દુઃખ છે. ૬.