Jain Siddhant Praveshika (Gujarati). Pratham Adhyay.

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 110

 

background image
પ્રથમ અધયાય
૧ પ્ર. દ્રવ્ય કોને કહે છે?
ઉ. ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે.
૨ પ્ર. ગુણ કોને કહે છે ?
ઉ. દ્રવ્યના પૂરા ભાગમાં અને તેની સર્વ હાલતોમાં
(અવસ્થામાં) જે રહે, તેને ગુણ કહે છે.
૩ પ્ર. ગુણના કેટલા ભેદ છે ?
ઉ. બે છેઃએક સામાન્ય, બીજો વિશેષ.
૪ પ્ર. સામાન્યગુણ કોને કહે છે ?
ઉ. જે સર્વ દ્રવ્યોમાં વ્યાપે, તેને સામાન્યગુણ કહે છે.
૫ પ્ર. વિશેષગુણ કોને કહે છે ?
ઉ. જે સર્વ દ્રવ્યોમાં ન વ્યાપે, તેને વિશેષગુણ કહે છે.
પ્ર. સામાન્યગુણ કેટલા છે ?
ઉ. અનેક છે, પણ તેમાં છ ગુણ મુખ્ય છે. જેમ
કેઃઅસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વ
અને પ્રદેશત્વ.
स्तुति
मंगलं भगवान वीरो मंगलं गौतमो गणी
मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम् ।।
आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानादन्यत्करोति किम्
परभावस्य कर्तात्मा मोहोऽयं व्यवहारिणाम् ।।
अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया
चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ।।